________________
છે તેમ સ્વગત-ધર્માધ્યારોપના અધિષ્ઠાનરૂપે પુરુષ પ્રતીત થાય છે. ચિત્તમાં રહેલી (પાણીમાં રહેલી)વૃત્તિઓ(ચાલવાની ક્રિયા)ના અધ્યારોપનું અધિષ્ઠાન(આશ્રય) પુરુષ(ચંદ્ર) બને છે.
“વૃત્તિસામતસ્ત્ર' I9-૪ના આ યોગસૂત્ર દ્વારા ઉપર જણાવેલી વાતને જણાવતાં જણાવ્યું છે કે વ્યુત્થાનદશામાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયેલો ન હોવાથી ઇન્દ્રિય અને વિષયના સંયોગાદિના કારણે ચિત્તમાં શાંત, ઘોર અને મૂઢ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તેવા રૂપથી જ ત્યારે પુરુષ પ્રતીત થાય છે. બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા છે તે વિષયો બુદ્ધિ પુરુષને બતાવે છે. તેથી બુદ્ધિ-ચિત્તના સમાન સ્વરૂપથી પુરુષ પ્રતીત થાય છે. ચિત્તની તે તે વૃત્તિઓ પુરુષમાં ઔપાલિક છે. પુરુષ તો ચેતનસ્વરૂપ જ છે. જ્ઞાનાદિ ધર્મો બુદ્ધિના જ છે, પુરુષના નહિ. પુરુષ અને ચિત્તના અવિવેકના કારણે વૃત્તિઓનું સાપ્ય દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થાય છે. ૧૧-રા ચિત્તનું વર્ણન કરીને હવે તેની વૃત્તિઓનું વર્ણન કરાય છે
तच्चित्तं वृत्तयस्तस्य, पञ्चतय्यः प्रकीर्तिताः ।
मानं भ्रमो विकल्पश्च, निद्रा च स्मृतिरेव च ॥११-३॥ तदिति-तच्चित्तं तस्य वृत्तिसमुदायलक्षणस्य अवयविनोऽवयवभूताः पञ्चतय्यो वृत्तयः प्रकीर्तिताः । તકુ$–“વૃત્તય: ચિતઃ વિજ્ઞMવિસ્તષ્ઠા:” ાિં ૨૩૩] [ 9-4 વિક્તા:) વિજ્ઞાઃ વક્તશાન્તિાस्तद्विपरीता अपि तावत्य एव । ता एवोद्दिशति-मानं प्रमाणं, भ्रमो, विकल्पो, निद्रा, च स्मृतिरेव च । તવાદ–“પ્રમાવિપવિત્પનિદ્રા: મૃતયઃ” [૧-૬] 199-રૂા
જે અવિકારી હોતે છતે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે અને જેની વ્યુત્થાનદશામાં (અસમાધિદશામાં) પુરુષ ચલાયમાન (અસ્થિર) પ્રતીત થાય છે, તે ચિત્ત છે. વૃત્તિઓના સમુદાય સ્વરૂપ તે ચિત્ત સ્વરૂપ અવયવીના અવયવભૂત વૃત્તિઓ પાંચ છે; જેના અનુક્રમે માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ - આ નામ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “વૃત્ત: પકૃતઃ વિસ્તાવિત્તદા: ૧-૧ આ સૂત્રમાં જણાવ્યા મુજબ વૃત્તિઓ પાંચ છે અને તેના દરેકના ક્લિષ્ટ અને અશ્લિષ્ટ એવા બે બે ભેદો છે.
તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓ ઉપર જણાવ્યા મુજબ પાંચ જ નથી; પરંતુ લજજા, તૃષ્ણા આદિ અસંખ્ય વૃત્તિઓ છે. ચિત્તના તે તે પરિણામો અસંખ્ય છે. તેથી તે સ્વરૂપ વૃત્તિઓ પણ અસંખ્ય છે. પ્રકૃતિ સ્થળે નિરોધ કરવા યોગ્ય વૃત્તિઓનું વર્ણન કરવાનો અભિપ્રાય હોવાથી માન, ભ્રમ... વગેરે સ્વરૂપ પાંચ જ વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. એ વૃત્તિઓના નિરોધથી સર્વ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. એ પાંચ વૃત્તિઓના દરેકના બે બે પ્રકાર છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. જે વૃત્તિ; ધર્મ-અધર્મ-વાસનાના સમુદાયને ઉત્પન્ન કરીને અવિદ્યાદિ ક્લેશને ઉત્પન્ન કરે છે, તેને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે અને જે વૃત્તિઓ પ્રકૃતિ-પુરુષના ૧૧૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી