SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ બને. યતનાપૂર્વક ગ્રહણ કરાયેલી એ ભિક્ષા સદાનારંભના પરિણામને સુરક્ષિત રાખે છે. અન્યથા પરિણામની નિર્વસતાને લઈને પૌરુષષ્મી ભિક્ષા થશે. તાદશ ભિક્ષાથી સાધ્ય એવી સદાનારંભિતા એક રીતે બાલ અને દ્રવ્યમુનિ સ્વરૂપ સંવિગ્નપાક્ષિકોમાં મનાતી નથી. તેમનામાં આચારહીનતા હોવાથી એક પ્રકારની બાલતા છે. પરંતુ પ્રરૂપણાની દષ્ટિએ હીનતા ન હોવાથી બીજી બાલતા નથી. તેમ જ ભવિષ્યમાં તેઓને (ભાવસાધુપણાની પ્રાપ્તિ થવાની હોવાથી) ભાવના કારણભૂત દ્રવ્યમુનિ પણું હોવાથી તેઓ દ્રવ્યમુનિ છે. જેમ એક બાલ એવા દ્રવ્યમુનિસ્વરૂપ સંવિગ્નપાક્ષિક આત્માઓને સદાઅનારંભિતાનો નિષેધ છે તેમ અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકને પણ પ્રતિમાકાળ દરમિયાન અનારંભકત્વ હોવાથી સદાનારંભકત્વનો નિષેધ છે : એ ઉપલક્ષણથી સમજવું. આ રીતે શ્રાવકને સદાઅનારંભિતા ન હોય તો તેની ભિક્ષાને કેવી માનવી આવી શંકાના સમાધાન માટે જો એમ કહી દેવાય કે સર્વસંપત્યરીકલ્પ (સર્વસંપન્કરી જેવી) એ ભિક્ષા છે તો તેથી વિસ્તાર નહિ થાય. કારણ કે એ રીતે ઉપચારથી સર્વસંપન્કરી ભિક્ષાનો વ્યવહાર સંગત થાય તોપણ એ પૌરુષબ્લીભિક્ષા નથી અને વૃત્તિભિક્ષા નથી : આવો વ્યવહાર ઉપપન્ન થતો નથી. આથી સમજી શકાશે કે શ્રાવકને કેવી ભિક્ષા માનવી આ શંકાના સમાધાન માટે નીચે જણાવ્યા મુજબ માનવું જોઇએ. શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે ધ્યાનાદિથી યુક્ત, ગુર્વાષામાં વ્યવસ્થિત અને સદા અનારંભી જે સાધુ છે તેને સર્વસંપન્કરી ભિક્ષા હોય છે. અહીં થોડો વિચાર કરીએ તો સમજાશે કે શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓની ભિક્ષા સર્વસંપન્કરી હોય છે. બાહ્યદષ્ટિએ ગુર્વાષામાં વ્યવસ્થિત ન હોવા છતાં ફળને આશ્રયીને તેઓશ્રી ગુસ્સામાં વ્યવસ્થિત જ છે તેથી પૂજયપાદ આ.ભ.શ્રી. હરિભદ્રસૂ. મહારાજાએ સદા અનારંભિત્વ અને ગુવંશાવ્યવસ્થિતત્વનું જે ઉપાદાન કર્યું છે તે સંભવાભિપ્રાયથી કર્યું છે. તેથી બાહ્યદષ્ટિએ ગુસ્સામાં વ્યવસ્થિત ન હોવા છતાં; ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિતત્વનું જે ફળ છે તે મળતું હોય તો તેની અપેક્ષાએ ત્યાં ગુર્વાશાવ્યવસ્થિતત્વ જેમ મનાય છે તેમ સદાઅનારંભિત્વ ન હોવા છતાં તેનું ફળ મળી જતું હોવાથી પ્રતિમાપન્ન શ્રાવકને તેની અપેક્ષાએ સદાનારંભિત્વ માનવામાં આવે છે. તેથી પ્રતિમાપારી શ્રાવકની ભિક્ષા પણ સર્વસંપન્કરી છે. આ રીતે ફળને આશ્રયીને સંભવાભિપ્રાયે સલાનારીભત્વ વગેરેનો નિવેશ ન માનીએ તો સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ તેનું અનુગમક નહીં બને. કારણ કે સાધુની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે પરંતુ શ્રાવકની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે નહિ. લક્ષણ લક્ષ્યના અનુગમ માટે છે. તેથી લક્ષણથી અનનગમની આપત્તિ ન આવે એ માટે ઉપર જણાવ્યા મુજબ સવાનામિત્વ પદનો નિવેશ સંભવાભિપ્રાય છે એ માનવું જોઈએ. એક પરિશીલન ૨૧૭.
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy