________________
રાખી તે તે જે પૂજા કરાય છે, તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મન-વચન-કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાન વગેરે સ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રંથોમાં કર્યું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન-વચન-કાયાના યોગોને સારભૂત-પ્રધાન બનાવવા જોઇએ. મનમાં તરવાનો ભાવ હોય, જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો ઉપર જણાવ્યા મુજબની યોગના સારવાળી પૂજા ખૂબ જ સરળતાપૂર્વક કરી શકાશે.
શુદ્ધિથી યુક્ત એવા ચિત્તને આશ્રયીને કાયાદિ દોષોના પરિવારના કારણે અતિચારરહિત પૂજા થાય છે. એવી અતિચારરહિત પૂજા અનુક્રમે વિનાશાંતિને કરનારી, અભ્યદયને આપનારી અને નિર્વાણપદને સાધી આપનારી બને છે. અહીં શ્લોકમાં “શકિથિત ' ના સ્થાને વિત્તશુદ્ધિતઃ' આવો પાઠ મનાય તો તેનો આશય એ સમજવો કે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક પ્રાપ્ત કરેલા તેવા પ્રકારના શુદ્ધ વિત્ત-દ્રવ્યથી જે પૂજા થાય છે તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે.
આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે - કાયાદિયોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસારા, વચનયોગસારા અને મનોયોગસારા - આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિત્તથી જે પૂજા થાય છે તે પૂજા શ્રેષ્ઠ છે – એમ બીજા આગમના જાણકારો કહે છે. પહેલી “કાયયોગસારા પૂજા વિનોને ઉપશમાવતી હોવાથી વિદ્ગોપશમની કહેવાય છે. બીજી “વાગ્યોગસારા” પૂજા અભ્યદયને આપનારી હોવાથી “અલ્યુદયપ્રસાધની કહેવાય છે અને ત્રીજી “મનોયોગસારા પૂજા વાસ્તવિક (પારમાર્થિક-મોક્ષ) ફળને આપનારી હોવાથી તેને નિર્વાણ સાધની કહેવાય છે. આ રીતે તે તે અર્થને જણાવનારાં તે તે નામવાળી (અર્થને અનુસરતા નામવાળી) તે તે પૂજા છે. પ-૨પા કાયયોગસારાદિ ત્રણ પૂજામાં જે થાય છે તે જણાવાય છે
आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने ।
અન્યાયાં મનસા સર્વ સમ્પવિતિ સુન્દરમ્ રદ્દા आद्ययोरिति-आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात् पुष्पादिकं प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददाति, आनयति च वचनेन अन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं-“प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तदाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ।।१।।” अन्त्यायां मनोयोगसारं (सारायां) । सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं- त्रैलोक्यसुन्दरं यन्मनसापादयति તરૂ ઘરમાયામ્” | તિ II-૨દ્દા
એક પરિશીલન
૧૯૭