________________
ત્યાં સ્વદ્રવ્યથી શ્રી જિનાલયના નિર્માણની વાત કરવાનું થોડું વિચિત્ર જ લાગશે. પરંતુ એમાં વાંક શાસ્ત્રકાર પરમર્ષિઓનો નથી, આપણી અનુદારતાનો છે. //પ-પી
આ રીતે શ્રી જિનાલયના નિર્માણના કાર્ય માટે ભૂમિસંબંધી વિધિ જણાવીને હવે તેની સામગ્રીસંબંધી વિધિ જણાવાય છે–
इष्टकादि दलं चारु दारु वा सारवनवम् ।
વાઘરીયા પ્રાહિં મૂક્યોરિત્યેન યત્નતિઃ -દ્દા इष्टकादीति-आदिना पाषाणादिग्रहः । चारु गुणोपेतं । दारु वा चारु । यलानीतं देवताधुपवनादेः प्रगुणं च । सारवत् स्थिरं खदिरसारवत् । गवादीनामपीडा बहुभारारोपणकृतपीडापरिहाररूपा तया । मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः । तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः । सुशकुनश्च चित्तोत्साहानुग રૂતિ બાવનીયમ્ Iક-દ્દા
સારી ઇંટ વગેરે અને મજબૂત સારવાળું લાકડું, બળદ વગેરેને પીડા ન થાય તે રીતે ઉચિત મૂલ્ય વડે શકુનાદિપૂર્વક લેવું.” – આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે ઇંટ અને પાષાણ વગેરે સુંદર ગુણથી યુક્ત લેવા. લાકડું પણ સુંદર દેવતાદિથી અધિષ્ઠિત એવા ઉપવન કે વનાદિથી લાવેલું, સીધું અને ખદિરાદિ લાકડાની જેમ સારભૂત લેવું.
એ ઇંટ, પાષાણ કે લાકડા વગેરે લાવતી વખતે, તેને વહન કરનારા બળદ વગેરે ઉપર અધિક ભાર નાખવાથી અથવા તો વધારે પડતા ફેરા કરાવવાથી બળદ વગેરેને પીડા ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. ઇંટ, પાષાણ વગેરે લેતી વખતે તેને બનાવનારા પાસેથી તે અંગે જે ઉચિત મૂલ્ય હોય તે આપીને તે સામગ્રી લેવી. “દેરાસર માટે જોઇએ છે. સારામાં સારી સામગ્રી આપશો અને વ્યાજબી ભાવ લેશો.”.. વગેરે કહીને તે તે સામગ્રી લેવી નહિ.
આ પ્રમાણે સામગ્રીનું ગ્રહણ પણ સુંદર પાણીથી ભરેલા કળશ વગેરે શુભ શકુનો પૂર્વકનું હોય તો તે કલ્યાણનું કારણ બને છે. સુશકુનો ચિત્તના ઉત્સાહને અનુસરતાં હોય છે અર્થાત્ ચિત્તના ઉત્સાહને સૂચવનારાં એ સુશકુનો હોય છે. ચિત્તનો ઉત્સાહ અત્યંતર શકુન છે અને પૂર્ણકળશાદિ બાહ્ય શુભ શકુનો છે, જે અત્યંતર શકુનને જણાવે છે. આ વિષયમાં ચૌદમી બત્રીશીમાં વર્ણવેલા ત્રિવિધ પ્રત્યયોનું પણ અનુસંધાન કરી લેવું જોઈએ. આશય એ છે કે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય - આ ત્રણ પ્રત્યય છે. કરવા ધારેલાં અનુષ્ઠાનો ફલપ્રદ થશે કે નહિ આવી શંકાને દૂર કરવાનું કાર્ય પ્રત્યય કરે છે. આત્માને કરવાની ઇચ્છા હોય, આપણા એ ઈષ્ટને કરવાનું ગુરુભગવંત કહેતા હોય અને એ કરતી વખતે શુભશકુનો થતાં હોય ત્યારે આ રીતે ત્રણ પ્રત્યયથી કરાતું કાર્ય સિદ્ધ થતું હોય છે. આવી જ રીતે શ્રી જિનમંદિરના ૧૭૦
ભક્તિ બત્રીશી