SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દોષના ભાજન બને છે, તેમ આ સ્વેચ્છાચારી અગીતાર્થ સંવિગ્નો પણ પોતાના ઉત્કટ બાહ્ય આચારથી દોષના જ ભાજન બને છે. li૩-૧પણી સ્વેચ્છાવિહારી અગીતાર્થ સંવિગ્ન જનોને પ્રાપ્ત થતા દોષને જણાવાય છે– वदन्ति गृहिणां मध्ये पार्थस्थानामवन्द्यताम् । યથાશ્મન્દ્રતયાત્માનવાં નાનને ન તે રૂ-૧દ્દો वदन्तीति-परदोषं पश्यन्ति, स्वदोषं च न पश्यन्तीति महतीयं तेषां कदर्थनेति भावः ॥३-१६।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે સમુદાયને છોડીને પોતાની ઇચ્છા મુજબ વિચરનારા સંવિગ્ન અગીતાર્થ સાધુઓ વ્યાખ્યાનાદિમાં ગૃહસ્થોને સમજાવતા હોય છે કે પાર્શ્વસ્થ (પાસસ્થા) શિથિલાચારી વંદનીય નથી. એ શિથિલ હોવાથી તેમને વંદન કરીએ તો પાપ લાગે... વગેરે કહીને પોતાના પરિચિતોને પાસત્કાદિ સાધુઓને વંદન કરતા રોકે છે. પરંતુ પોતે યથાશૃંદ એટલે કે પોતાની ઇચ્છા મુજબ વર્તનારા હોવા છતાં, પોતે પણ વંદનીય નથી – એ વાતને જાણતા નથી. આ રીતે સંવિગ્ન અગીતાર્થ બીજાના દોષ જુએ છે, પરંતુ પોતાના દોષ તેઓ જોતા નથી. તેમની આ મોટી કદર્થના છે. આવી કદર્થના આજે ઘણા લોકો અનુભવી રહ્યા છે, પણ તેનો તેમને ખ્યાલ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. કહેવાતા બે-તિથિવર્ગ ઉપર જેટલા તેઓ આક્ષેપ કરી રહ્યા છે, એ બધા જ આક્ષેપો એમની જાત માટે પણ કરી શકાય છે. પરંતુ શિષ્ટાચરણના નામે અશિષ્ટ જનોના આચરણને વિસ્તારવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. જીતાચારના નામે શાસ્ત્રનિષિદ્ધ આચરણના વ્યવસ્થાપનનો ઉદ્દેશ સિદ્ધ કરવા તેઓ પ્રયત્નશીલ છે. આજથી સેંકડો વર્ષ પૂર્વે જણાવેલી વાતો તેના યથાર્થ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ. સંવિગ્ન અગીતાર્થોની પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનો સુધારો થાય એવી આશા લગભગ નથી. આપણે એમની વાતોમાં આવી ના જઇએ. એટલે બસ ! ઓછા-વધતા પ્રમાણમાં આવા લોકોનો વર્ગ લગભગ દરેક સમુદાયમાં જ નહિ દરેક ગ્રુપમાં તૈયાર થઈ ગયો છે. ઉત્કટ આચારોના નામે સ્વેચ્છા મુજબ જીવવાનો ઉપાય સંવિગ્ન અગીતાર્થ મહાત્માઓએ બરાબર શોધી લીધો છે. ગુરુપરતંત્ર્ય સમગ્ર સાધુસામાચારીનો એકમાત્ર આધાર છે. સ્વેચ્છાચારિતાએ એ એકમાત્ર આધારને જ તોડી પાડ્યો છે. આધાર વિનાના આધેયની કેવી દશા થાય - એનું વર્ણન કરવાની ખરેખર જ જરૂર નથી. આપણે એ નજરે જોઈ જ રહ્યા છીએ. સંવિગ્ન (બાહ્યાચરણની અપેક્ષાએ) અગીતાર્થોનું સ્વેચ્છાચારિતા એ ખૂબ જ મોટું દૂષણ છે. ૩-૧દી સંવિગ્ન અગીતાર્થ આત્માઓ સમુદાયના દોષોના કારણે સમુદાયથી છૂટા થયા છે, જલસા કરવા માટે તેઓ છૂટા થયા નથી. પોતાની બુદ્ધિ મુજબ ચારિત્રની ઉત્કટ આરાધના તેઓ ૧૦૪ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy