________________
આ પ્રમાણે પ્રશ્ન કરનારાના આશયને સમજીને પ્રશ્નને અનુરૂપ મહાનુભાવો જવાબ આપશેઃ એવી અત્યારે તો આશા રાખીએ. ત્યાં સુધી પરમતારક શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પર્વાપર્વ-સઘળીય તિથિઓની; ક્ષય-વૃદ્ધિ શ્રી સંઘમાન્ય પંચાંગમાં જણાવ્યા મુજબ માન્ય રાખી ક્ષયે પૂર્વા...” ઇત્યાદિ નિયમ મુજબ આરાધના કરવાનું ચાલુ રાખીએ. ll૩-૮
આ રીતે સંવિગ્ન શિષ્ટ જનોના આચરણને માર્ગ તરીકે જણાવીને હવે ત્રણ શ્લોકથી અસંવિગ્ન-અશિષ્ટ પુરુષોનું આચરણ, એ માર્ગ નથી એ જણાવવા પૂર્વક તેનાથી વિશ્વવિડંબના થાય છે - તે જણાવાય છે–
दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिणः साधुसङ्गतिम् ॥३-९॥ द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयभि यथा तथा ॥३-१०॥ अपुष्टालम्बनोसिक्तैर्मुग्धमीनेषु मैनिकैः ।
इत्थं दोषादसंविग्नर्हहा विश्वं विडम्बितम् ॥३-११॥ दर्शयदिरिति-आमुष्मिकं प्रेत्य प्रत्यवायविपाकफलम् ।।३-९।। द्रव्यस्तवमिति-अपिना आगमे यतीनां तनिषेधो द्योत्यते । अनुपश्यद्भिर्मन्यमानैः ॥३-१०॥
પુષ્યતિ–વ્યm: Il3-99ો.
કુલાચારના લોપ(ત્યાગ)થી ભવાંતરમાં માઠાં પરિણામ ભોગવવા પડશે... ઇત્યાદિ ભય દર્શાવનારા; પોતાના ગચ્છના ગૃહસ્થોને પૂ. સાધુમહાત્મા પાસે જતા રોકનારા; પૂ. સાધુભગવંતોને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે – એ પ્રમાણે માનનારા; જેમ-તેમ પણ દાન આપવું જોઇએ, આપવાથી બહુ લાભ છે... ઈત્યાદિ રીતે વિવેકહીન દાનને ઉપાદેય માનનારા; અપુષ્ટાલંબન લેવામાં તત્પર બનેલા એવા અસંવિગ્નોએ, મુગ્ધ માછલીઓને વિશે માછીમારોની જેમ મોહથી વિશ્વની વિડંબના કરી છે. આ પ્રમાણે નવમા, દશમા અને અગિયારમાં - ત્ર શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે- “કુલાચારનું ઉલ્લંઘન કરવાથી પરલોકમાં તેના દુષ્ટ વિપાક પ્રાપ્ત થશે' - આ પ્રમાણે કુલાચારલોપથી પ્રાપ્ત થનારા ભયને બતાવતા અસંવિગ્ન પુરુષો પોતાના પરિચિતોને જણાવતા હોય છે કે “આપણે તો વર્ષોથી આ પ્રમાણે જ કરીએ છીએ. તમારા બાપદાદાઓ પણ આ રીતે કરતા હતા. તમારા કુળમાં આ જ પરંપરા છે. માટે અહીં જ આવવાનું, સાધુઓ પાસે નહીં જવાનું...” વગેરે કહીને પોતાના તે તે ગૃહસ્થને પૂ. સાધુભગવંતોની પાસે જતા રોકતા હોય છે. ત્યાર પછી શ્રી જિનમંદિરાદિ બંધાવવાં, પૂજા
એક પરિશીલન