SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતી તેવા પ્રકારની રસોઈને પરિવાર સહિત ખાતા એવા દધિપર્ણ રાજાએ મસ્તકને ધૂણાવતા પ્રશંસા કરી. Iક૭૬ો અહો ! સુસ્વાદવાળી નવી રસોઈ ક્યાંય પણ છે ખરી ? અહો ! અમૃતથી પણ સર્વ ઇન્દ્રિયોને આવા પ્રકારનો છે આસ્લાદ ન થાય. ક૭૭થી વળી રાજાએ કહ્યું કે, હે ભદ્ર ! આ રસોઈને તો નળ એક જ જાણે છે. તેણે પણ કહ્યું, નળની મિત્રતા હોવાથી (કૃપા હોવાથી) તેની જેમ હું પણ જાણું છું. ll૧૭૮ અરે ! તો શું નળ છે ? અથવા તો આપ નળના આબેહૂબ ચિતાર છો ? કારણ કે કામદેવને પણ હરાવી શકે તેવા તેના રૂપને મેં પહેલાં જોયેલું છે. Iક૭૯ી બસો યોજન દૂર એવો નળ અહીં ક્યાંથી આવે ? અથવા તો અર્ધભરતના સ્વામીનું એકાકીપણું ક્યાંથી ? I૬૮૦. હવે ખુશ થયેલા રાજાએ કુન્જને વસ્ત્રો, અલંકારો, એક લાખ ટંક સુવર્ણ અને પાંચશો ગામ આપ્યા. ૧૮૧|| કુબ્બે વસ્ત્ર વગેરે લીધા, પરંતુ એક પણ ગામ ગ્રહણ ન કર્યા. રાજાએ કહ્યું કે હે કુન્જ ! બીજું કંઈ અન્ય પણ શું તને અપાય ? ૯૮રી ત્યારે તેણે કહ્યું કે પોતાના રાજ્યમાં શિકાર અને દારૂ બંધ કરાવો. તેના વચન પરના બહુમાનથી રાજાએ પણ તેવા પ્રકારનું કર્યું. ૧૯૮૩ી હવે એક વખત એકાંતમાં રાજાએ તે કુન્જને કહ્યું કે, હે ભદ્ર ! તું કોણ છે ? ક્યાંનો રહેનારો છે? ક્યાંથી અહિં આવ્યો છે ? I૯૮૪ો. તેણે કહ્યું, કોશલાનગરીનો કુબડો રસોઈયો છું. નળને અતિપ્રિય હોવાથી તેણે મને સર્વ કળા આપી છે. [૬૮પા કુબર વડે કપટ વડે સમસ્ત રાજ્ય નળની પાસેથી જીત્યું. દમયંતી માત્ર પરિવારવાળા નળે વનવાસનો આશ્રય કર્યો. ૧૮કાં ત્યાં મરી ગયેલા તેને સાંભળીને અવિશેષજ્ઞ અને નીચ એવા શઠ જેવા કુબેરનો મેં ત્યાગ કર્યો છે. નિરાશ થયેલો તારી પાસે આવ્યો છું. I૬૮ નળની તે દુર્દશાને સાંભળીને દધિપર્ણ રાજાએ લાંબા કાળ સુધી શોક કર્યો. મોટાઓની આપત્તિઓ વડે કોણ દુઃખી ન થાય ? I૬૮૮. એક વખત દધિપર્ણ રાજા વડે કોઈ પણ કાર્યને માટે દમયંતીના પિતાની પાસે પોતાનો દૂત મોકલ્યો. કટકા અને તેની સાથે મિત્રતા હોવાથી તે ઘણો કાળ ત્યાં રહ્યો. અને ક્યારેક પ્રસંગ આવતા આ વાતને કહી. IIક૯૦ના હે દેવ ! મારા રાજા પાસે નળનો રસોઈયો આવ્યો છે. નળના ઉપદેશથી તે સૂર્યપાક રસોઈ જાણે છે. I૯૧ી તે સાંભળીને દમયંતીએ પિતાને વિનંતિ કરી કે, હે દેવ ! તે રસોઈના અગ્રણીને કોઈ પણ દ્વારા શોધ કરાવો. IIકરા નળ સિવાય બીજા કોઈ પણ સૂર્યપાક રસોઈને જાણતા નથી. તેથી હે દેવ ! પોતાના આત્માને છુપાવતો તે નળ જ હોય. ૧૯૩ી ત્યાર બાદ હોંશિયાર કુશળ નામનો બ્રાહ્મણ રાજાએ રસોઈયાની પરીક્ષા માટે દધિપર્ણ રાજા પાસે મોકલ્યો. IIક૯૪ો શું આવા પ્રકારના રૂપમાં જ આ છે ? અથવા રૂપાન્તર કરેલો છે ? કોઈ દેવ છે અથવા દાનવ છે અથવા પોતાને છૂપાવતો નળ છે ? કપા. ત્યાર બાદ વધતા ઉત્સાહવાળો શુભ શુકનો વડે તે સુસુમારપુર ગયો. કુન્જને જોયો અને વિચાર્યું. Iકવા તે નળ ક્યાં ? અને આ કુન્જ ક્યાં ? ક્યાં હંસ અને ક્યાં કાગડો ? ખરેખર વિરહના સંભ્રમથી જ દમયંતીને આમાં નળની ભ્રાંતિ થઈ છે. ડ૯૭ી ત્યાર બાદ સારી રીતે નિશ્ચય કરવાને માટે તેને રાજાની પાસે લઈ જઈને નાટક કરવું છે, તેમ પ્રાર્થના કરીને નાટકનો ત્યાં જ પ્રારંભ કર્યો. ll૧૯૮ી તે નાટકમાં દધિપર્ણ રાજા સભ્ય છે. સપર્ણ નામનો મંત્રીશ્વર છે. જીવલ નામનો દ્વારપાળ છે. કુબડો એવો હુંડિક રસોઈઓ છે. Il ૯૯ાા સૂત્રધાર કુશળ છે. દમયંતી આદિની ભૂમિકાવાળા નટો હતા. હવે ત્યાં રાજા લાંબા કાળ સુધી બેઠો. સ્મરણ કરીને આ કહ્યું. ૭૦૦ હે દ્વારપાળ ! લાંબો કાળ થયો. હજુ પણ નાટક શરૂ કેમ નથી થયું ? દ્વારપાળે તેઓને કહ્યું કે, નટો, જલ્દીથી નાટક પ્રસ્તુત કરાય. ૭૦ના સૂત્રધારે પ્રવેશ કરીને કહ્યું કે, નળને શોધનારું
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy