SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતી પ તે સાંભળીને અતિવૃષ્ટિ વડે જેમ નદી તેમ દેવી અને સમસ્ત પરિવારની આંખો મોટા પાણીના પૂરવાળી થઈ અર્થાત્ અત્યંત વિલાપ કર્યો. પ૭૯ી શોકરૂપી સમુદ્રમાં ડુબેલાની જેમ સર્વલોક થયો. ભૂખથી પીડિત બ્રાહ્મણ જમવા માટે દાનશાળામાં આવ્યો. પ૭૭ી પ્રવેશ કરતાં જ દમયંતીને જોઈને ઓળખીને વિકસ્વર નેત્રવાળો પ્રમોદને ભજનાર તે નમ્યો. (પગે લાગ્યો.) પ૭૮ મસ્તક વડે અંજલિ કરીને તેણે કહ્યું, તે દેવી ! આ તારી દુર્દશા કેવી ? જેથી તે આ પ્રમાણે હિમ પડવાથી કરમાયેલી નાગવલ્લીની જેમ (સૂકાઈ ગયેલી) દેખાય છે. પ૭૯મી ભાગ્યયોગે હે દેવી ! જીવતી દમયંતી જોવાઈ છે. એ પ્રમાણે કહીને ભૂખ તરસની પીડાને ભૂલી ગયો. પ્રમોદથી ભરાયેલા ઉદરવાળાએ જઈને ચંદ્રયશા દેવીને કહ્યું કે હે દેવી ! તમે વધામણી પામો. તમારી જ દાનશાળામાં મેં દમયંતીને જોઈ. પ૮૦-૫૮૧ી તે સાંભળીને જલદીથી ચંદ્રયા દેવી ત્યાં આવીને આકાશની લક્ષ્મીને આંબતી ધજાની જેમ દમયંતીને ભેટી પડી. પ૮રા અને બોલી કે હા હા ! મને ધિક્કાર થાઓ. અદ્વિતીય લક્ષણોથી ઓળખાયેલી હે વત્સા ! મારા વડે તું ઓળખાઈ નહિ. //પ૮૩ ભાગ્યયોગથી જ તારી આ દુર્દશા જો છે તો પોતાના આત્માને મારાથી કેમ છુપાવ્યો ? ચંદ્ર અને સૂર્યદેવને પણ શું સંકટ નથી આવતું ? (આવે જ છે.) પ૮૪ો હે વત્સા ! શું નલ વડે તું તજાઈ છે? અથવા તો શું તારા વડે નળ ત્યજાયો છે? ખરેખર નળ વડે તું ત્યજાઈ છે. પુરુષ ખરેખર કઠોર હોય છે. /પ૮પIL હે પતિવ્રતા ! જો પતિ સંકટમાં પડ્યો હોય ત્યારે તેનો તેં ત્યાગ કર્યો હોત તો પૃથ્વી પાતાલમાં જાત. એમાં સંશય નથી. અર્થાત્ તેં પતિનો ત્યાગ કર્યો નથી. //પલા ગુણવાન એવી આનો ત્યાગ કરતા હા હા ! હે નળ ! તું લજ્જા પામતો નથી. જો તને ભારરૂપ આ હતી તો મારી પાસે કેમ મૂકી ન ગયો ? //૫૮થા હે પુત્રી ! ખરેખર તારી આવા પ્રકારની દુર્દશા સંભવી શકાતી નથી. તેથી હું તને ઓળખી ન શકી, તો મારા આ અપરાધને તું ક્ષમા કર. પ૮૮ સ્વાભાવિક અને સતત પ્રકાશ આપતું તારું તે કપાળનું તિલક ક્યાં ? ત્યારે જ થૂક વડે તેણીએ કપાળને લૂછ્યું. 'પટલા તેજસ્વી એવા દર્પણ જેવું, સરાણથી નીકળેલા સૂર્ય જેવું તિલક ક્ષણવારમાં કાતિના કલ્લોલો વડે વિશ્વમાં ફેલાઈ ગયું. પ૯૦હવે જટિલ અર્થાત્ ગૂંચવાળા વાળવાળી તેણીને ચંદ્રયશા દેવીએ વલ્કલચીરીની જેમ બળજબરીથી સુગંધી પાણી વડે નવડાવી. પ૯૧ી. શેષનાગની કાચબી જેવા, નિર્મળ દોષ વિનાના, દેવદૂષ્ય જેવા બે રેશમી વસ્ત્રો દેવીએ સ્નેહપૂર્વક દમયંતીને પહેરાવ્યા. પ૯૨ા શાંતિ, ઉત્સાહ, હર્ષ વગેરે સ્વરૂપ અંતઃપુરના રક્ષકોથી પરિવરેલની જેમ દમયંતીની સાથે દેવીએ રાજાની સભાને શોભાવી. //પ૯all ત્યારે ગગનાંગણના દીપક સમાન સૂર્ય અસ્ત થયો અને ભૂખ્યા રાક્ષસની જેમ અંધકારે આખા આકાશને ગ્રહણ કર્યું. પ૯૪ો દ્વારપાળ જેવા દમયંતીના તિલકના કિરણો વડે અટકાયેલાની જેમ અંધકારનો લેશ પણ રાજાની સભામાં પ્રવેશ્યો નહિ. //પ૯પી રાજાએ કહ્યું કે સૂર્યાસ્ત થઈ ગયો છે. દીપક વિના કે અગ્નિ વિના અતિ દેદીપ્યમાન તેજ ક્યાંથી ? પ૯૬ો ત્યારે તેજરત્નના મહાનિધિ સરખું, દમયંતીના કપાળ પર રહેલ તિલકરૂપી સૂર્ય આશ્ચર્યચકિત દૃષ્ટિવાળી રાણી જાને બતાવાયું. ૧પ૯૭માં તેના પ્રભાવને જાણવા માટે રાજાએ રાણી પાસે હાથ વડે તે તિલક ટૂંકાવ્યું. તે જ વખતે રાજાની સભા જાણે કે અંધકારની ખાણ હોય તેવી થઈ ગઈ. //પ૯૮ ત્યારબાદ હાથને ખસેડાવીને રાજા વડે પૂછાયેલી, નીચા મુખવાળી અને રડતી એવી દમયંતીએ રાજ્યથી ભ્રષ્ટ થવું વગેરે સમસ્ત વૃત્તાંતને કહ્યો. /પ૯૯ો
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy