SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતી ૪૫ સ્તુતિ કરી. IIકલા ગૌડ દેશનો ચૂડામણિ, વળી મનુષ્યો અને સ્ત્રીઓને ચિંતામણિ આ છે. તેથી હે દેવી ! આને વરીને દેવીની જેમ ચિંતિત અર્થની પ્રાપ્તિને ભજનારી થા. ll૧૨] તેણીએ કહ્યું, આવા પ્રકારનો કાલની જેમ ભયંકર શું મનુષ્ય પણ થાય ? ત્યારબાદ તેને ઓળંગીને ભદ્રાએ કલિંગ દેશના સ્વામીને બતાવ્યો. IIકall જેના તલવારરૂપી રાહુએ શત્રુના યશરૂપી ચંદ્રને ઓળંગીને ગળ્યો છે. હે દેવી! પતિ એવા આને પ્રાપ્ત કરીને સપત્નીના જયની લક્ષ્મીવાળી થાઓ. Iકા દેવીએ કહ્યું, પાદચાર વડે ખિન્ન થયેલા ખરેખર બોલવા માટે સમર્થ નથી. તેથી તેને ઓળંગીને ભદ્રાએ કહ્યું, હે દેવી ! જુઓ. Iકપાય તે આ સુભગગ્રામનો ગ્રામણી નિષધ દેશનો અધિપતિ છે. જેને જોતા એવા દેવો વડે દૃષ્ટિનું નિર્નિમેષપણું કહેવાય છે. કલા વિસ્મિત થયેલા મનવાળી દમયંતીએ પણ તેને જોઈને વિચાર્યું, અહો ! આ લાવણ્ય, સૌભાગ્ય અને વિલાસોની નવનિધિ છે. વળી એ પ્રમાણે નળના ગુણના સમૂહને વિચારતી અને વશ થયેલી બાલિકાએ તેના ગળામાં વરમાળાને નાખી. ll૧૮ અહો, સુંદર વરાયું. એ પ્રમાણે મોટેથી બે વાર ત્યારે બોલાયું અને દિશાઓના પડઘા સ્વરૂપ કોઈપણ કોલાહલ થયો. IIકલા એટલામાં પોતાને સુભગ અને શૂરવીર માનતો, અહંકારવાળો મ્યાનમાંથી તલવાર કાઢતો કૃષ્ણરાજ નળની પ્રતિ બોલ્યો. II૭૦હે ! હે ! નળ ! દમયંતીને પરણવાને માટે તું મેળવીશ નહીં. સીતાને જેમ રામ યોગ્ય છે, તેમ આણીનો ભર્તા થવા માટે હું જ યોગ્ય છું. ll૭૧ નળે પણ આક્ષેપ કરીને તેને કહ્યું, અરે ! કુલ પાંસન ! શું તું પિશાચ, વાચાળ અથવા મૂઢ છે ? જેથી તે કુવચન બોલે છે. Iકરા જે કારણથી દુર્ભાગ્યપણાથી અભાગ્યવાળો તું દમયંતી વડે વરાયેલો નથી, ખેદની વાત છે કે, કેમ તું સંતાપ કરે છે ? વળી તપને કેમ તપતો નથી. |૭૩ી હમણાં વળી તે પાપી ! આ પરસ્ત્રીની પ્રાર્થના કરતો ધર્મને ગણતો નથી અથવા શું તું કુલને પણ ગણતો નથી. II૭૪ો તેથી મારે તું શિક્ષા કરવા યોગ્ય છે. એ પ્રમાણે હાથમાં તલવારને કંપાવતો ભૂમિને આસ્ફાલન કરીને બળતા એવા કોપરૂપી અગ્નિ સમાન નળ ઊઠ્યો. ૭પણl ત્યારપછી તે બંનેના સૈન્યો બખ્તરને ધારણ કરીને રોષથી જાણે પરસ્પર ગળી જવાની ઈચ્છાવાળા તેઓ સામે થયા. ll૭૬l ત્યારપછી દમયંતીએ વિચાર્યું હા ! હું મંદભાગ્યવાળી છું. મારા નિમિત્તે શા માટે આ જીવનો સંહાર ઉત્પન્ન થયો. II૭૭થી જો મારી અરિહંત પરમાત્માને વિશે નિશ્ચલ ભક્તિ વિદ્યમાન છે, તો મારા પ્રિયનો જય થાઓ અને શત્રુ ઉપશાંત થાઓ. ll૭૮ એ પ્રમાણે કહીને પાણીના કળશને ગ્રહણ કરીને તેણીએ પાણીના છાંટણાઓ વડે કૃષ્ણરાજ રાજાની ઉપર ત્રણ વાર પાણી છાંટ્યુ. ૧૭૯ો તે પાણી વડે સ્પર્શ કરાયેલો તે બુઝાઈ ગયેલા અંગારા સમાન થયો. વૃક્ષ પરથી પાકી ગયેલા પાનની જેમ હાથના અગ્રભાગમાં રહેલ તલવાર વડે પડાયું ૮૦ના હવે લોકોત્તર મહિમાવાળા ભૈમીના વૃત્તાંત વડે રાજાના સમૂહે વિચાર્યું કે, શું આ મનુષ્યના રૂપને ધારણ કરનારી દેવી છે. ૮૧ત્યારબાદ તેજ રહિત થયેલા કૃષ્ણરાજે આ પ્રમાણે વિચાર્યું કે, આ દમયંતી સામાન્ય નથી અને નળ પણ સામાન્ય નથી. ll૮૨ી ત્યારપછી પ્રશાંત બુદ્ધિવાળા કૃષ્ણરાજે તેને ખમાવ્યા અને નળે પણ તેની પૂજા કરી. સજ્જન પુરુષો ખરેખર સુકૃતના પ્રિય હોય છે. ll૮૩ મહર્ષિની જેમ નળને શાપ અને અનુગ્રહમાં સમર્થ જાણીને ઘણા આનંદવાળા વૈદર્ભે પુત્રીનો વિવાહ કરાવ્યો. ll૮૪ll હસ્તિ, અશ્વ, રથ અને રત્નાદિ તેણે નળને પહેરામણીમાં આપ્યા અને અન્ય રાજાઓને સન્માન કરીને ઘર તરફ વિસર્જન કર્યા. I૮પી. ત્યાં કેટલાક દિવસો રહીને નળ પણ ચાલ્યો, સસરાના ઘરે
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy