SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સમ્યકત્વ પ્રકરણ હવે સૂર્યોદય વેળામાં રાજા, કુમાર અને કુમારિકા સહિત પોતાના અંતઃપુર પરિવાર સહિત ચાલ્યો. /૨૦ll હવે આગળ ઉષ્ણ કિરણવાળા સૂર્યને સન્મુખ આવતો જોઈને યશના સિંધુ સમાન અને જગતના બંધુ સમાન રાજાએ પોતાના માણસોને કહ્યું. l૨૧/l અહો ! આ સારું નથી કરાયું. મૃત્યુને ઉત્પન્ન કરનાર એવો આ સૂર્ય અહીં સન્મુખ આવતે છતે જે ચક્ષુનો વિષય નહિ બને. ૨૨ા તે અધિકારીઓએ ત્યારે કહ્યું, કુબુદ્ધિવાળા અમોને આવા પ્રકારે ન સૂઝયું. તેથી હે દેવ ! હમણાં પણ પશ્ચિમના ઉદ્યાનમાં જવાય. //ર૩|| જાણે ઉગ્ર તેજવાળા આ સૂર્યની સાથે યુદ્ધ ન કરતો હોય તેમ દેવ પૂર્વાહ્નમાં અને અપરાહ્નમાં પણ સૂર્યને પાછળ કરે છે. //ર૪l ત્યારપછી તે કાળે જ રાજા પશ્ચિમ ઉદ્યાન તરફ ચાલ્યો અને નગરજનોને લીલારૂપી લાકડીઓ છે હાથમાં જેને એવા નોકરો વડે પૂર્વ ઉદ્યાન તરફ ચલાવ્યા. રપા અને ત્યારપછી રાજાને અનુસરનારી (રાજાની પાછળ ચાલનારી) પત્નીઓ અગ્રપણાને પામી અને તેથી પહેલા જ તેણીઓએ તે ઉદ્યાનને પ્રાપ્ત કર્યું. રડા અને ત્યાં જલદીથી પડદા સહિતના સુખાસનથી નાટકોમાં પડદાની અંદરથી રંગભૂમિમાં પાત્ર (વ્યક્તિ) ઉતરે તેમ તેણીઓ ઉતરી. //ર૭ી આગળ ગયેલા કેટલાક મનુષ્યો વડે તે રાજાની રાણીઓ જોવાઈ, ત્યારે તેઓને જોવાથી લોકોત્તર હર્ષને પ્રાપ્ત કરવા વડે તેઓએ નમસ્કાર કર્યો. ll૨૮ તે કાલે આવેલા અંગરક્ષકાદિ રાજાના અધિકારીઓ વડે અરે, તમે કેમ રાજાની રાણીઓને જુઓ છો ? એ પ્રમાણે તે પુરુષોને પકડ્યા. ll૧૯ો પૂર્વના ઉદ્યાનમાં વળી નગરજનોને ત્યારે આવતા જોઈને રાજા અહીં આવશે નહીં, એ પ્રમાણે જાણીને ખેડવાળા થયેલા, રાજપત્નીઓને જોવાની ઈચ્છાવાળા, પૂર્વે પ્રવેશેલા તે દુષ્ટ પુરુષો વિલખા થયેલા અને નિષ્ફળ થયેલા આરંભવાળા વૃક્ષ પરથી નીચે પૃથ્વી પર ઉતર્યા. ૩૦-૩૧ જાણ્યો છે રાજવૃત્તાંત (રાજાનું પશ્ચિમ ઉદ્યાનનું ગમન) જેને એવા, પશ્ચિમ ઉદ્યાનમાં જવાને માટે ઉઠેલા એવા અંગરક્ષકો વડે તેઓ જોવાયા અને તે દુરાત્માઓ! તમે અહીં રાજાની આજ્ઞાનો ભંગ કરનારા છો, એ પ્રમાણે ધારણ કરીને (પકડીને) રાજાના અધિકારીઓ વડે લઈ જવાયા. જે કારણથી તીવ્ર પાપ જલદીથી ફળ આપે છે. I૩૨-૩૩ ઈન્દ્ર સમાન લક્ષ્મીવાળા બીજા બધા પણ નગરજનો ઈચ્છા પ્રમાણે શંકારહિત, નહીં નિવારણ કરાયેલા રમતા હતા. ૩૪ો રાજા પણ ઈચ્છા પ્રમાણે વસંતઋતુની લક્ષ્મીને ભોગવીને સાંજે પશ્ચિમના ઉદ્યાનથી પોતાના ઘરે આવ્યો. ll૩પી હવે અંગરક્ષકો વડે બીજે દિવસે તે બન્ને ઉદ્યાનના તે બંને અપરાધીઓને રાજાની પાસે લવાયા. /૩૬ હવે રાજાએ પૂછ્યું, “હે ! આ કોણ છે ? અને કયા અપરાધ વડે ધારણ કરાયા છે ? અંગરક્ષકોએ તે વૃત્તાંતને રાજાને કહ્યો. ૩શા તે સાંભળીને પણ એમની ઉપર (આ અપરાધીઓ ઉપર) પ્રકર્ષ બુદ્ધિવાળો રાજા કોપાયમાન ન થયો. ખરેખર જગત્પતિ અંતરંગ છ શત્રુવર્ગનો વિજેતા છે. ૩૮ ત્યારપછી વિશેષને જાણનાર ન્યાય, અન્યાયના ભેદને જાણનાર રાજાએ અપરાધના અનુમાનથી નિગ્રહ-અનુગ્રહ કરવા માટે સ્વયં પહેલા પશ્ચિમ ઉદ્યાનમાં જનારને પૂછ્યું. અરે ! અંતઃપુરને તમારા વડે શા માટે જોવાયું ? Il૩૯-૪ll તેઓએ કહ્યું, તમારી આજ્ઞા વડે અમે પહેલા જ પશ્ચિમ ઉદ્યાનમાં ગયા હતા. પછી અંતઃપુરની સ્ત્રીઓ ત્યાં આવી. //૪૧. ત્યારપછી હે દેવ ! જલદીથી સુખાસનથી ઉતરેલી દેવીઓ અમારા વડે આનંદથી જોવાઈ અને પોતાની માતાની જેમ નમસ્કાર કરાઈ. ll૪રા અને વળી ચક્ષુના વિષયને પામેલા રૂપને નહીં જોવું તે અશક્ય છે. પરંતુ હે પ્રભુ! પંડિત પુરુષ તેને વિષે જે રાગદ્વેષ છે, તેને છોડે છે. ll૪૩ હે દેવ ! અંતઃપુરનો જોવાનો ઉદ્યમ અમારા વડે કરાયો નથી, પરંતુ દેવ ! દેવીઓનું દર્શન આ પ્રમાણે જ થયું. II૪૪ તેથી અહીં
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy