SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યખપુટાચાર્ય કથા ૨૭૧ તે યક્ષાયતનના દ્વારમાં અત્યંત મોટી બે દ્રોણી હતી. તે બંને પણ ગુરુની આગળ થઈને સાથે જવાને માટે પ્રયાણ કર્યું. ૩૮ત્યાર પછી દડાની જેમ ઊંચે પડતા અને નીચે પડતા તે દેવરૂપોને જોઈને ત્યારે સર્વે મિથ્યાષ્ટિઓ પણ વિસ્મય પામ્યા. ll૩૯ો નગરના દ્વારમાં આવેલા સૂરિ ત્યારે રાજાદિ વડે વિજ્ઞપ્તિ કરાયા હે પ્રભુ આદેશ કરો. આ દેવરૂપો ઉભા રહે. ll૪all ત્યાર બાદ ગુરુના આદેશથી તેઓ પોતપોતાના સ્થાને ગયા. વળી દ્વારના બંને પડખે બે કુંડિકા મૂકી. //૪૧ી અને કહ્યું કે, જે મારા તુલ્ય છે તે આને પોતાના સ્થાને લઈ જાવ અને હજુ પણ તે બંને તે પ્રમાણે જ છે. વળી સૂરિ મધ્યમાં પ્રવેશ્યા. ૪૨ગુરુના તે માહાભ્યને જોઈને ઉપશાંત થયેલા તે બટુકર યક્ષે જિનધર્મની પ્રભાવનાને કરી. II૪૩) ત્યાર પછી અતિશય વિસ્મિત થયેલા રાજા પણ શ્રાવક થયા અને અન્ય પણ ઘણા માણસોએ જિનધર્મમાં રતિને કરી. I૪૪ સર્વે જનોએ પણ અરિહંતના શાસનની પ્રશંસા કરી કે અન્ય દર્શનમાં ક્યાંય પણ આવા પ્રકારનો પ્રભાવ નથી. જપા પાછળથી ભરૂચનગરમાં ગુરુનો તે ભાણેજ મુનિ અંતપ્રાન્ત આહારથી ભાંગી પડેલ ગચ્છમાંથી નીકળ્યા. ll૪૬ો આહારના રસમાં વૃદ્ધ થયેલ જીભ વડે પોતાને વશ કરાયેલ એવા તેણે બૌદ્ધ ભિક્ષુકોનો આશ્રય કર્યો. અજીતેન્દ્રિય શું ન કરે ! I૪૭ી. ત્યાં વિદ્યાના પ્રયોગ વડે તે ક્ષુલ્લક આકાશ માર્ગથી પાત્રોને શ્રાવકોના ઘરમાં મોકલતો હતો. ૪૮ સર્વમાં અગ્રણીની જેમ શ્વેત વસ્ત્ર વડે ઢાંકેલ, તેઓની આગળ રહેલ ક્ષુલ્લકનું તે પાત્ર જાય છે. ll૪૯માં તે જોઈને કૌતુકથી ખેંચાયેલ ચિત્તવાળા તે શ્રાવકો પણ શાત્યાદિ આહાર વડે તે પાત્રોને ભરે છે ૫૦ll અને અગ્રેસર એવા તેને શ્રેષ્ઠ આસનમાં બેસાડીને વિવિધ પ્રકારના ખંડ ખાજાદિ વડે પાત્રને ભરે છે. //પ૧/l. ત્યાર પછી તે જ પ્રમાણે ઊંચા મુખવાળા થયેલા નગરજનો વડે જોવાતા તે સર્વે પાત્રો મેઘની જેમ બૌદ્ધના મઠ તરફ જાય છે. પરા તે તેવા પ્રકારનું આશ્ચર્ય જોઈને અન્ય લોકો તો દૂર રહો પણ કેટલાક શ્રાવકો પણ બૌદ્ધદર્શનમાં લાગ્યા પ૩ll અને આ પ્રમાણે બોલે છે કે બૌદ્ધદર્શનને મૂકીને આવા પ્રકારનો અતિશય પ્રભાવ બીજે ક્યાંય પણ જોવાયેલ નથી અથવા સંભળાયેલ નથી. પ૪ll સર્વત્ર બૌદ્ધ દર્શન માન્ય કરાય છે. જૈનદર્શન અપમાનિત કરાય છે અને બૌદ્ધ મત જ મુખ્ય છે. આ પ્રમાણે લોકોમાં પ્રસિદ્ધિ થઈ. પપા. હવે આ અપભ્રાજનાને જોઈને સંઘે બે મુનિને મોકલીને ગુડશસ્ત્રનગરમાં ગુરુને આ હકીક્ત જણાવી //પકાત્યારે આ સર્વ સાંભળીને આર્યખપુટાચાર્ય તે નગરથી ભરૂચનગરમાં આવ્યા. લબ્ધિવાળાઓને શું દૂર હોય ? પછી અને ત્યાં નગરની અંદર ગુપ્ત રીતે ગુરુ પ્રવેશ્યા. મુનીઓએ પણ ક્ષુલ્લકની સઘળી ક્રિયાને કહી. II૫૮ત્યાર પછી ત્યાં આકાશ માર્ગ વડે તે ભરેલા પાત્રો આવતે છતે ગુરુએ ત્યાં મોટી શિલાને વિકુર્તી //પલા અને તે શિલાને અફળાઈને વહાણની જેમ તે પાત્રો ફૂટ્યા અને તેની અંદર રહેલું સર્વે અન્નાદિ કાગડાઓનું બલિ થયું.Iકoll ક્યાંયથી પણ તે સાંભળીને ક્ષુલ્લકે ભિક્ષુકોને કહ્યું. હે ભદ્રો ! મારા ગુરુ આવ્યા છે ? આવા પ્રકારની શક્તિ અન્યની નથી. ll૧૧ી તેથી તે જ ક્ષણે ભયભીત થયેલ તે ક્ષુલ્લક પલાયમાન થયો. જે કારણથી સૂર્ય ઉદય થયે છતે અન્યનું તેજ પ્રગટ થઈ શકતું નથી. IIકરા હવે બીજે દિવસે નગરના સાધુથી યુક્ત સંપૂર્ણ તારાગણથી પરિવરેલા ચંદ્રની જેમ ગુરુ અરિહંતના ચૈત્યને નમસ્કાર કરીને બૌદ્ધના મંદિરમાં ગયા. આદર કરાયેલા ભિક્ષુઓએ પણ કહ્યું. આ બુદ્ધને નમસ્કાર કરો.૬૩-૬૪ ગુરુ પણ આગળ થઈને બૌદ્ધની પ્રતિ કહ્યું. આવ, આવ હે વત્સ ! બુદ્ધ ! અમારા ચરણોમાં પડ. કપાઈ ત્યાર પછી બુદ્ધની મૂર્તિએ જલ્દી ત્યાં આવીને ગુરુને નમસ્કાર કર્યો. પ્રસન્નતાને ભજનાર ગુરુએ
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy