SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્રકુમાર કથા ૨૩૧ * * IST મુનિ ! દુર્દાન્ત એવું મારું મન રૂંધવા છતાં પણ પ્રેયસી તરફ દોડી રહ્યું છે. પછી તેના વડે પણ કહેવાયું કે હે કલ્યાણકારી ! તારા ગીતાર્થપણાની કેવી વિક્રિયા ? તેણે પણ કહ્યું કે આર્યમારો મનરૂપી હાથી વશ થતો નથી, કહો હવે શું કરું? પઢો ત્યારબાદ તે વાત પ્રવર્તિની અને બંધુમતીને પણ વાત કરી. તેણીએ પણ સમજાવ્યું. પછી શુદ્ધ બુદ્ધિવાળી તેણે વિચાર્યું કે હા હા કર્મની ગતિને ધિક્કાર હો, ધિક્કાર હો. પા. અને તેણીએ કહ્યું કે હે ભગવતી ! આ મુનિરૂપી કુંજર (હાથી આલાન સ્તંભને છોડી દે તેમ) જો મર્યાદાને ઓળંગશે, ઉમૂલન કરશે તો ખરેખર અમારા બંનેના વ્રતનો ભંગ થશે. અન્યત્ર ગયેલી એવી મારું પણ મન તેના મનની પાછળ દોડશે. ક0-૬૧આ પ્રમાણે વિચારીને વ્રતનું રક્ષણ કરવાને માટે ફાંસો બાંધીને અનશન કરી તૃણની જેમ પ્રાણોનો ત્યાગ કરીને દેવલોકમાં ગઈ. કરા તે સાંભળીને સામાયિકે પણ વિચાર્યું કે મારી પ્રિયા ધન્ય છે. વ્રતની વિરાધના કર્યા વગર મારા ખાતર તમારા માટે) જીવિતનો ત્યાગ કર્યો. કall. હું વિરાધેલા શીલવાળો પણ જીવું છું તે શું ઉચિત છે ? એ પ્રમાણે વિચારીને પોતાના દુષ્કતને ગુરુની પાસે આલોચના કર્યા વગર અનશન કરીને મરીને દેવલોકની લક્ષ્મીને ભોગવીને તે જ અનાર્ય કર્મ વડે હું આદ્રકુમાર થયો છું. IIકપા અનાર્યપણામાં પણ જે મહાત્મા વડે હું પ્રતિબોધ પમાડાયો તે અભયકુમાર જ મારો મિત્ર, બંધુ અને ગુરુ છે. કલા જો અભયકુમાર સાથે મિત્રતાને ન કરી હોત તો અધર્મથી દુર્ગતિમાં જતા મારું ત્યારે કોણ રક્ષણ કરત ? Iક૭ી હવે આર્યદેશમાં જઈને સદ્ગુરુ એવા તેને મળીને પરિવજ્યાને ગ્રહણ કરીશ. આ પ્રમાણે મનમાં વિચારીને અરિહંતની પ્રતિમાની પૂજા કરીને પિતાની પાસે જઈને કહ્યું કે હે તાત ! અભયકુમાર સાથે મને અતિશયવાળી પ્રીતિ થઈ છે. ૬૮-૬૯મા તેથી જો તાત મને અનુજ્ઞા (અનુમતિ) આપે તો ત્યાં જઈને એકબીજાના દર્શન કરીને પ્રીતિને શ્રેષ્ઠ કોટીની બનાવી ત્યાંથી જલ્દી આવું. ll૭ ll રાજાએ કહ્યું કે પરસ્પર વિશિષ્ટ ભેટણાઓથી અમારી પણ પ્રીતિ છે જ. તેથી હે પુત્ર ! દર્શનને માટે ક્યારે પણ, ક્યાંય પણ જવાનું નહિ. II૭૧ી એક તરફ વડીલોની આજ્ઞા બીજી તરફ મિત્રને મળવાની હૃદયની ઉત્કંઠા. તેથી મન હીંડોળાની જેમ સ્થિર રહેતું નથી. II૭રી સમસ્ત કર્તવ્યો તેણે છોડી દીધા. દુઃખપૂર્વક અન્ન માત્રને ખાતો નારકોની જેમ નીકળવાના ઉપાયને વિચારતો તે રહ્યો હતો. II૭૩ી રાજાએ તેવા પ્રકારના તેને જોઈને વિચાર્યું કે નિચ્ચે અત્યંત ઉત્કંઠાવાળો આ મને જણાવ્યા વગર જતો રહેશે. તેથી કુમારની રક્ષાને માટે શ્રેણીરૂપે પાંચશો . સામંતોને રાજાએ જંગમ (સાક્ષાતુ) કિલ્લાની જેમ ગોઠવ્યા. ૭પ કુમારના દેહની છાયાની જેમ તેઓ ક્યારે પણ પડખું મૂકતા નહિ. આ રીતે તેઓ કરતા હોવાથી તેઓ વડે કુમાર પોતાને કેદીની જેમ માનતો હતો. ૭કો આને ઠગીને હું જઉં. તેથી કુમાર દરરોજ તેઓને વિશ્વાસમાં લેવાને માટે અશ્વક્રીડા કરવા ઘોડાને ચલાવતો અને પાછો આવતો. II૭૭ી. તેઓથી કુમાર હંમેશાં અધિકાધિક દૂર જતો અધિક અધિક કાળથી વળીને પાછો આવતો. તેથી તેઓ વિશ્વાસવાળા થયા. વૃક્ષોની છાયામાં જેમ વિશ્રામ પામે તેમ ધીમે ધીમે એક પ્રહર બાદ દૂરથી પાછો આવતો. ll૭૮-૭૯માં હવે તેણે વિશ્વાસુ માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું. તેમાં અસંખ્ય રત્નો અને તે પ્રતિમાને સ્થાપન કરાવી. ll૮૦ તેઓ વિશ્વાસમાં રહેતે છતે એક વખત વેગથી આદ્રકુમાર વહાણમાં ચઢીને આર્યદેશમાં સમુદ્રના કિનારા પર ઉતરીને તે બિંબને અભયની પાસે મોકલાવી. વ્રત લેવામાં કાળનો વિલંબ થશે, એવી શંકાથી સ્વયં પોતે ન ગયા. ll૮૧-૮૨ા ઘણાં રત્નોને સાતક્ષેત્રમાં વાપરીને કેટલાક રત્નો વિશ્વાસુ માણસોને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy