SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સમ્યક્ત્વ પ્રકરણ મંદબુદ્ધિવાળા હતા, તેઓએ ભણવા માટેનો આરંભ કર્યો. //ર૯ll જડો (પૂર્ણ)ના પણ જડતારૂપી પર્વતને વજ મુનિએ વજની જેમ ભેદી નાંખ્યા. તેમના આ અતિશયને જોઈને સર્વ પણ ગચ્છ આશ્ચર્યચકિત થયો. l/૨૯૧ પૂર્વને ભણેલા મહર્ષિઓએ સંદેહને પૂછ્યા. તે સમસ્ત સંદેહોને કહીને વજ મુનિએ તેમને શંકા વગરના કર્યા. ll૨૯૨ો ગુરુની પાસે અનેક વાચનાઓ વડે જે ભણ્યા તેટલું વજ મુનિએ એક જ વાચના વડે સાધુઓને ભણાવ્યા. ll૨૯૩ ખુશ થયેલા તેઓ પરસ્પર બોલ્યા કે જો ગુરુ લાંબા કાળે આવે તો વજ મુનિ પાસે જેટલું પણ છે તેટલું જલ્દીથી શ્રુતસ્કંધ મેળવીએ. //ર૯૪ સાધુઓને વજ મુનિ ઉપર અત્યંત બહુમાન થયું. ગુણો વડે કોણ આનંદ ન પામે ? એક ગુરુ પાસે ભણેલ સહાધ્યાયીને તો વિશેષથી બહુમાન થાય. ૨૯૫l હવે ગુરુએ પણ વિચાર્યું કે આટલા દિવસો થઈ ગયા છે. તેથી નિચ્ચે વજ મુનિના ગુણો સાધુઓના હૃદયમાં સ્થિર થઈ ગયા હશે. ll૧૯કા હવે બાકી રહેલ કાંઈ પણ આ ભણાવાય, એ પ્રમાણે વિચારીને ગુરુ ગામથી વિહાર કરીને આવ્યા. ll૨૯ી વજ પ્રમુખ સર્વ સાધુઓએ આનંદપૂર્વક ગુરુને વંદન કર્યા. ગુરુએ પણ તેમને પૂછ્યું કે તમે બધા સ્વાધ્યાયમાં તો પ્રવૃત્ત છો ને ? I૨૯૮ તેઓએ પણ કહ્યું કે ઘણો જ સ્વાધ્યાય કરીએ છીએ. હે પ્રભો ! એક આપને વિનંતિ છે કે હવેથી (આજથી) અમારા વાચનાચાર્ય વજ જ થાઓ. //ર૯૯ો આટલા દિવસો તો અમે આમના ગુણોથી અજ્ઞાત હતા. તેથી તેમની અવજ્ઞા પણ કરી હશે. પરંતુ હવે તો આપના ચરણકમલની જેમ દરરોજ તેમની આરાધના કરશું (પૂજશું). li૩OOll ગુરુએ પણ કહ્યું કે હે કલ્યાણકારી ! આ તમારો ગુરુ થશે. બાળક પણ જ્ઞાનથી બળવાન હોય તો તેની ક્યારે પણ અવગણના ન કરાય. ૩૦૧ી તમને આ ગુણોનો ભંડાર છે, એમ જણાવવા માટે જ તમારા વાચનાચાર્ય કરીને ગામમાં અમે ગયા હતા. ll૩૦૨ા ફક્ત આની પાસે સાંભળવા માત્રથી શ્રુત આવેલું છે. ગુરુએ આપેલું શ્રુત ન હોય ત્યાં સુધી આને વાચના આપવાપણું કલ્પતું નથી. ૩૦૩સૂત્ર, અર્થની વાચના દ્વારા શ્રુત એને સંક્ષેપથી હું આપીશ. ત્યારબાદ આ આચાર્ય પદની યોગ્યતાને મેળવશે (પામશે). ll૩૦૪ો. ત્યારબાદ ભણેલું અને નહિ ભણેલું સર્વ શ્રુત ગુરુએ વજને આપ્યું. પાત્રતા હોય તો પોતાનો વૈભવ કોણ ન આપે ? Il૩૦પા ગુરુ વડે અર્પણ કરાયેલું સમસ્ત શ્રતને વજે પણ ગ્રહણ કર્યું. સ્વામી વડે અર્પણ કરાયેલું દ્રવ્ય ભંડારી જેમ સાચવે તેમ સંભાળ્યું. ૩૦વા ત્યારબાદ ગુરુના દુઃખેથી ભેદાય એવા સંદેહરૂપી પર્વતને વજે વજની જેમ લીલા માત્રમાં ચૂરેચૂરા કરી નાંખ્યા. ૩૦૭ી ગુરુની પાસે તેમના ગુરુએ અર્પણ કરાયેલું જેટલું દૃષ્ટિવાદ હતું તે સર્વે વજે પિતાના સર્વસ્વને પુત્ર જેમ ગ્રહણ કરે તેમ ગ્રહણ કર્યું. li૩૦૮ હવે એક વખત પરિવાર સહિત ગુરુ પણ પોતાના ચરણકમળથી પૃથ્વીતલને પાવન કરતાં દશપુર નગરમાં ગયા. ll૩૦૯ સ્થવિર કલ્પમાં રહેલાં દશપૂર્વી એવા ભદ્રગુપ્ત નામના આચાર્ય અવંતિમાં છે, તે સાંભળીને ત્યાં રહેલા તેમણે વિચાર્યું. ll૩૧oll ગ્રાહકના અભાવથી દશપૂર્વ તેમની સાથે જ ચાલ્યા જશે. ઉદાર બુદ્ધિવાળા તેઓ જો યોગ્યને આપે તો ભવ્ય (સારું) થાય. ll૩૧૧. અથવા તો આ ચિંતન વડે સર્યું. અત્યંત પ્રજ્ઞાના પ્રકર્ષથી તેમજ પદાનુસારી લબ્ધિવાળા વજમુનિ તેને ગ્રહણ કરી શકે તેમ છે. ૩૧૨ીઆ પ્રમાણે જાણીને ગુરુએ પણ વજને કહ્યું કે હે વત્સ! તું બે સાધુની સાથે અવંતિ જા. ll૩૧all હે ભો ! ભદ્રગુપ્ત ગુરુની પાસે રહેલા દશપૂર્વને તું ભણી લે. કેમ કે તારા સિવાય બીજો કોઈ પણ આરંભેલા કાર્યને પૂર્ણ કરનાર નથી. /૩૧૪ll સંભાવના છે કે ભદ્રગુપ્તસૂરિ પાસે બીજો કોઈ દશપૂર્વી નથી. હમણાં તું એક
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy