SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સખ્યત્વ પ્રકરણ હે પ્રભુ! સર્વે પણ જીવો માતાના દેવાદાર છે. તેણીના સો ઉપકાર વડે પણ અર્પણા કેવી રીતે થાય ? હે પ્રભુ ! તેની ઈચ્છાને અનુસરવા વડે થઈને જ માતા આરાધવા યોગ્ય છે અને એ પ્રમાણે જ કૃતજ્ઞપણું અને પુરુષાર્થનું મૂળ થાય. ll૭૯-૮૦ll ગુરુએ કહ્યું કે મહાભાગ્યશાળી ! ખરેખર આ સાધુવેષથી જ અને આવા પ્રકારના સાધ્વાચારના પાલનથી જ દૃષ્ટિવાદ ભણાય. II૮૧ી વળી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! સાધુનો વેષ હોતે છતે જ પરંપરાના ક્રમપૂર્વક દૃષ્ટિવાદ ભણાવાય. l૮રા તેણે કહ્યું, તો પછી મને સાધુવેષ અપાય તેમાં વિલંબ શેનો ? દૃષ્ટિવાદ ભણવા માટે મારું મન અત્યંત આતુર છે. (ઉત્કંઠાવાળું છે.) ૧૮all માત્ર એટલું જ છે કે અહિં રાજા અને નગરજનો મારા ઉપર અત્યંત અનુરાગી હોવાથી મારા વ્રતનો ભંગ કરાવે. ll૮૪ll ગુરુએ પણ મનમાં વિચાર્યું કે આ બુદ્ધિશાળી સમર્થ છે. એટલે બુદ્ધિથી જલ્દીથી ભણીને સમસ્ત શ્રુતનો પારગામી બનશે. ll૮પા મહારત્નના નિધાનની જેમ તેને લઈને ગુરુએ પણ જલ્દીથી પરિવાર સાથે ત્યાંથી વિહાર કર્યો. l૮ડા શ્રી વિરપ્રભુનું તીર્થ પ્રવર્તતે છતે સાધુઓમાં અહીં આ પહેલી શિષ્યની ચોરી પ્રવર્તે. અર્થાત્ નાના બાળકને લઈ સાધુઓ ગયા. ll૮૭ી આચાર્ય ભગવંતે આર્યરક્ષિતને પ્રવજ્યા આપી. માવજીવ સુધીના સામાયિક વ્રતને બોલતાં તેણે પણ સ્વીકારી. II૮૮ી પ્રતિજ્ઞામાં નિશ્ચલ એવો છે ત્યારે જ વ્રતમાં દૃઢ થયો. ખરેખર લઘુકર્મીઓને બોધ પ્રાયઃ નિમિત્તમાત્ર હોય છે (બહાનું મળે કે પામી જાય). l૮૯ો ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા તેણે ગ્રહણ કરી જલ્દીથી ગીતાર્થ થઈને ઘણા તપોને તપ્યા અને પરિષદોના સમૂહને જીતતા એવા તેમણે એક શ્લોક માત્રની લીલાથી અગિયાર અંગ ભણ્યા. ગુરુ પાસે રહેલા દૃષ્ટિવાદને પણ ક્ષણવારમાં ગ્રહણ કર્યું. I૯૧ી બુદ્ધિના વિશાળ સમુદ્ર જેવા તે શિષ્યને જાણીને ગુરુએ કહ્યું કે, હવે તું આગળનું વજસ્વામી ગુરુ પાસે જઈને ભણ. I૯૨ી ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ! આ વજગુરુ કોણ છે? હમણાં ક્યાં રહેલાં છે ? ગુરુએ પણ તેમની વાત કરવાનો પ્રારંભ કર્યો. કેમ કે સજ્જનોની કથા પણ પુણ્યને માટે થાય છે. ll૯૭ll વજસ્વામી ચરિત્ર - આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સર્વ દેશનો શિરોમણિ એવો અવંતિ નામનો દેશ છે. ll૯૪ો તેમાં પણ દેવતાઈ સ્ત્રી અને પુરુષ રૂપી રનની ખાણ સમાન, લક્ષ્મીરૂપ વેલવાળું, પૃથ્વી સમાન મનોહર તુંબવન નામનો સન્નિવેશ છે. ૯પી તેમાં પવિત્ર, શ્રાવક, પરમાત, સાર્થક નામવાળો ધનગિરિ નામે શ્રેષ્ઠી પુત્ર હતો. હકો યુવાન પણ જેણે સમતા સાગરથી પોતાના હૃદયને પ્લાવિત કર્યું હતું. ઉત્પન્ન થયેલા વૈરાગ્ય કલ્લોલવાળા તેના હૃદયમાં કામદેવ પ્રવેશ કરી શક્યો ન હતો. ૯૭ી કલ્પવૃક્ષના ઈચ્છાવાળા કંથેરમાં રતિ (પ્રેમ) કરતા નથી, તેમ નિવૃત્તિરૂપી સ્ત્રીને ઈચ્છતા તે અન્ય સ્ત્રીમાં પરાભુખ હતા. ll૯૮ પ્રવ્રજિત બનવાની ઈચ્છાવાળા પોતાના પુત્રને મોહરૂપી સાંકળ વડે બાંધવા માટે જે જે કન્યાની માંગણી માતા-પિતા કરતા હતા, તે કન્યાના પિતા પાસે ધનગિરિ સ્વયં જઈને તમારી કન્યા મને પરણાવશો નહિ. કેમ કે હું પ્રવ્રજ્યા સ્વીકારવાનો છું. એમ કહેતા હતા. ll૯૯-૧૦ lી આ બાજુ ધનપાલ શ્રેષ્ઠીની રૂપગર્વથી અભિમાની બનેલી સુનંદા કન્યાએ પિતાને કહ્યું કે મારા પતિ ધનગિરિ જ થાવ. અબળા પણ હું ચતુરાઈના બળથી તેમને સંસારમાં જકડી રાખીશ. ll૧૦૧-૧૦૨ી હવે મોટા ઉત્સાહપૂર્વક ધનપાલે પરણવાની ઈચ્છાવાળી પોતાની કન્યાને ધનગિરિ સાથે પરણાવી. ||૧૦૩ી ધનપાલનો પુત્ર અને સુનંદાના મોટા ભાઈ સમિતે પહેલાં જ સિંહગુરુની પાસે પ્રવજ્યા સ્વીકારી હતી. ll૧૦૪ ચતુરાઈરૂપી દોરીથી બાંધીને સુનંદાએ પ્રવ્રજ્યાને ઈચ્છતા પોતાના પ્રિયને સંસારમાં પકડી રાખ્યા. I/૧૦પા તેણીના આગ્રહથી અને હવે ભોગાવલી
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy