SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨, ૩ અવતરણિકા - यत्यनुवर्णनमेवाह - અવતરણિકાર્ય : યતિના અનુવર્ણનને જ કહે છે – સૂત્રઃ સર્ટસમીપે વિધમત્રનતો તિ: ગાર/૨૨૮ સૂત્રાર્થ : પ્રધ્વજ્યાને યોગ્ય, યોગ્યગુરુ પાસે વિધિપૂર્વક પ્રવજ્યાને પામેલો યતિ છે. llર/૨૨૮. ટીકા - 'अर्हः' प्रव्रज्याझे वक्ष्यमाण एव 'अर्हस्य' प्रव्रज्यादानयोग्यस्य वक्ष्यमाणगुणस्यैव गुरोः 'समीपे' पार्श्वे 'विधिना' वक्ष्यमाणेनैव 'प्रव्रजितः' गृहीतदीक्षः ‘यतिः' मुनिरित्युच्यते इति ।।२/२२८ ।। ટીકાર્ય : 'ગ'.... ૩ રૂતિ ા યોગ્ય પ્રવ્રયાને યોગ્ય વસ્થમાણ સ્વરૂપવાળો જ, યોગ્યતી પાસે પ્રવ્રયા આપવાને યોગ્ય એવા વસ્થમાણ ગુણવાળા જ ગુરુ પાસે, વક્ષ્યમાણ જ એવી વિધિથી ગૃહીત દીક્ષાવાળો યતિ=મુનિ, કહેવાય છે. ‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૨/૨૨૮ ભાવાર્થ : આગળમાં બતાવાશે એવા સર્વવિરતિને યોગ્ય ગુણોને ધારણ કરનાર જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે. વળી, તેવો યોગ્ય જીવ પણ આગળમાં બતાવાશે એવા પ્રવ્રજ્યા આપવાને યોગ્ય એવા ગુણોવાળા જ ગુરુ પાસે, પ્રવ્રજ્યા આપવાની વિશિષ્ટ વિધિ બતાવાશે તે વિધિપૂર્વક જ પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો તે વ્રત-ગ્રહણકાળમાં તે મહાત્મા ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા થવાથી યતિ કહેવાય છે અર્થાત્ સંસારના સર્વભાવોથી મૌનને ધારણ કરીને મોક્ષને અનુકૂળ ભાવોમાં યતમાન હોવાથી યતિ કહેવાય છે. li૨/૨૨૮ll અવતરણિકા - 'यथोद्देशं निर्देशः' इति न्यायात् प्रव्रज्यार्हमेवाभिधित्सुराह - અવતરણિતાર્થ : જે પ્રમાણે ઉદ્દેશ છે=જે પ્રમાણે સૂત્ર-૨માં યોગ્ય યોગ્ય સમીપ આદિ વચનમાં ક્રમ છે, તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એ પ્રકારના નિયમથી પ્રવજ્યાયોગ્યને કહેવાની ઇચ્છાથી કહે છે –
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy