SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કિરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-પ૧, પર સૂત્ર : गुरुसमीपे प्रत्याख्यानाभिव्यक्तिः ।।५१/१८४ ।। સૂત્રાર્થ : ત્યારપછી સાધુને વંદન કર્યા પછી સાધુ પાસે પ્રત્યાખ્યાનની અભિવ્યક્તિ સૂત્ર-૪પમાં કહેલ તે પ્રમાણે શ્રાવક પચ્ચક્ખાણને ગ્રહણ કર્યા પછી તે પચ્ચકખાણને ફરી ગુરુ પાસેથી ગ્રહણ કરે. IN૧/૧૮૪ll ટીકા - तथाविधशुद्धसमाचारसाधुसमीपे प्रागेव गृहादौ गृहीतस्य 'प्रत्याख्यानस्य अभिव्यक्तिः' गुरोः साक्षिभावसंपादनाय प्रत्युच्चारणम् ।।५१/१८४ ।। ટીકાર્ય : તથા વિથ પ્રત્યુથ્રારમ્ ા તેવા પ્રકારના શુદ્ધ સમાચારવાળા સાધુની સમીપમાં વર્તમાનકાળને અનુરૂપ ભગવાને કહેલા જે શુદ્ધ સમાચાર છે તેવા પ્રકારના શુદ્ધ સમાચારને પાળનારા સાધુની પાસે શ્રાવક પૂર્વમાં જે પચ્ચકખાણ ગ્રહણ કરેલું તે પચ્ચકખાણને ગુરુ પાસે ફરી ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના સ્વીકારાયેલા પચ્ચખાણમાં ગુરુના સાક્ષીભાવતા સંપાદન માટે ફરી ગુરુ સમીપે પચ્ચકખાણ ગ્રહણ કરે છે. પ૧/૧૮૪ના ભાવાર્થ : શ્રાવક સાધુને વંદન કર્યા પછી જો તે સાધુ કાળને અનુરૂપ શુદ્ધ સમાચારને પાળનારા હોય તો તેવા મહાત્મા પાસે પૂર્વમાં ગ્રહણ કરાયેલા પચ્ચકખાણને ફરી ગ્રહણ કરે છે જેથી શ્રાવકને અધ્યવસાય થાય છે કે ગુણવાન એવા ગુરુની સાક્ષીએ મેં આ પચ્ચખાણ કર્યું છે માટે પચ્ચકખાણની મર્યાદામાં પણ મનથી, વચનથી અને કાયાથી સહેજ પણ અલના ન થાય તે પ્રકારે મારે ઉદ્યમ કરવો જોઈએ. જેથી સ્વીકારાયેલું પચ્ચખાણ ઉત્તર ઉત્તરની વિરતિની વૃદ્ધિ દ્વારા મહાકલ્યાણનું કારણ બને. પ૧/૧૮૪ અવતરણિકા : તતઃ - અવતરણિકાર્ય : ત્યારપછી શ્રાવક અન્ય શું કરે? તે બતાવે છે – સૂત્ર - નિવઘનશ્રવને નિયોજન: સાવ૨/૧૮૬
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy