SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાગીતા (૩) વંદવા-સદ્ગુઓની પ્રતિપત્તિ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તેથી તેમને વંદન કરવાથી જ્ઞાનાચારાદિ આચારની વિશુદ્ધિ થાય છે. (૪) પ્રતિક્રમણ દ્વારા ચારિત્રાચારાદિ આચારોની વિશુદ્ધિ થાય છે, (૫) કાત્સગ દ્વારા પણ , " (૬) પ્રત્યાખ્યાન દ્વારા તપાચાર અને વીર્યાચારનું પાલન થાય છે. મિત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાઓનું ચિંતન એ પણ “અધ્યાત્મગ (૧) મૈત્રીભાવના - સર્વસ (પ્રાણીઓ) નું હિતચિંતન, હિતભાવના તે મૈત્રી છે. સામાન્ય પુરૂષ પણ પિતાના ઉપકારીનું, સ્વજન સંબંધીઓનું તેમજ પરિચિત જનનું હિત ચિંતવે છે. પરંતુ કોઈપણ પ્રત્યુપકારની આશા (અપેક્ષા ) રાખ્યા વિના સર્વ પ્રાણીઓનું હિત થાઓ, સર્વે જીવો પરમ સુખી બને, એવું ચિંતન કરવું તે ઉત્કૃષ્ટ મૈત્રી ભાવના છે અને તેના સતત અભ્યાસ દ્વારા સર્વ પ્રકારના વૈર વિરોધ શાંત થઈ જાય છે અને ક્ષમાગુણને ઉત્તરોત્તર વિકાસ થતા જાય છે તેમજ ચિત્ત અત્યંત પ્રફુલ્લ અને પ્રસન્ન બને છે. મૈત્રીભાવની સિદ્ધિ થતાં સાધકના સાન્નિધ્યથી હિંસક, ક્રૂર, પરસ્પર આજન્મ વરી પ્રાણીઓ પણ શાંત થઈ જાય છે. પિતાના વૈરભાવને વિસરી જાય છે. યોગશાસ્ત્રમાં મૈત્રીભાવનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે - કોઈપણ જીવ પાપ ન કરે; કઈપણ જીવ દુઃખી ન થાઓ. સર્વ છે કર્મબંધથી મુક્ત બને, આવી વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે. આ વ્યાખ્યાથી સ્પષ્ટ સમજી શકાય છે કે પ્રાણીમાત્રનું સાચું હિત હિંસાદિપાપને પરિહાર કરવાથી જ થઈ શકે છે. દુઃખનું મૂળ કારણ પણ પાપ જ છે. પાપના 'T (1) Gરતિ ચિતા મૈત્રી ....... ... (૨) મિત્તિને સદવમgશું .... . " () મૈત્રી gવત્ર ત્રાસ .... .... ... ... (ષોડશક) . . (વંદિત્ત). . . (વીતરાગ સ્ત્રોત્ર)
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy