________________
૨૨૨-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધર્મ-શુક્લધ્યાન
(૨) અપાયવિચય– અપાય એટલે રાગ-દ્વેષાદિથી થતા અનર્થો. રાગ-દ્વેષાદિથી થતા અનર્થોનો નિર્ણય જેમાં કરવામાં આવે તે અપાયવિચય ધર્મધ્યાન છે.
(૩) વિપાકવિચય- વિપાક એટલે કર્મફલ. જેમાં કર્મફલનો નિર્ણય કરવામાં આવે તે વિપાકવિચય ધર્મધ્યાન છે.
(૪) સંસ્થાનવિચય– સંસ્થાન એટલે લોક અને દ્વીપ-સમુદ્ર વગેરેના આકારો. જેમાં લોક અને હીપસમુદ્ર વગેરેના આકારોનો નિર્ણય કરવામાં આવે તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે
(૧) આજ્ઞારુચિ (=આજ્ઞા=સૂત્રના વ્યાખ્યાનરૂપ નિર્યુક્તિ વગેરે. તેમાં કે તેનાથી રુચિ.)
(૨) નિસર્ગરુચિ—(=સ્વભાવથી જ તત્ત્વોની શ્રદ્ધા).
(૩) સૂત્રરુચિ—(=આગમથી તત્ત્વોની શ્રદ્ધા).
(૪) અવગાઢરુચિ—(=સાધુના ઉપદેશથી રુચિ).
ધર્મધ્યાનના ચાર આલંબનો છે. તે આ પ્રમાણે– (૧) વાચના, (૨) પ્રતિપૃચ્છના, (૩) પરિવર્તના અને (૪) ધર્મકથા. (ધર્મધ્યાનરૂપ મહેલના ઉપરના ભાગમાં ચઢવા માટે જેનો ટેકો લેવામાં આવે તે આલંબન).
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. તે આ પ્રમાણે (૧) એકત્વ, (૨) અનિત્ય, (૩) અશુચિ અને (૪) સંસારભાવના. (=અનુ એટલે પછી. પ્રેક્ષા એટલે ચિંતન. ધર્મધ્યાન પછી જેનું ચિંતન કરવામાં આવે તે અનુપ્રેક્ષા.)
શુક્લધ્યાન
શુક્લધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે-પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ અને સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતી.
(૧) પૃથક્ક્ત્વ-વિતર્ક સવિચાર–પૃથક્ એટલે ભેદ-જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રુત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયોની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાતિપરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.
અહીં ત્રણ શબ્દોથી ત્રણ હકીકતો જણાવવામાં આવી છે- (૧) પૃથ શબ્દથી ભેદ, (૨) વિતર્ક શબ્દથી પૂર્વગતશ્રુત, અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન જણાવવામાં આવેલ છે. તથા ‘એકાગ્રતાપૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથવિતર્ક સવિચાર ધ્યાનનો અર્થ આ પ્રમાણે થાય છે- જે ધ્યાનમાં