________________
તપધ”]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રૌદ્રધ્યાન-ધર્મધ્યાન ૨૨૧ આર્તધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે–આકંદનતા, (=મોટેથી રડવું), શોચનતા (=દીનતા બતાવવી), તેપનતા (=આંસુ પાડવા), પરિદેવનતા(=વારંવાર ફિલષ્ટ ભાષણ કરવું). (આત્મામાં રહેલું ધ્યાન જે ચિહ્નોથી ઓળખી શકાય-જાણી શકાય તે ધ્યાનનાં લક્ષણો છે.)
રૌદ્રધ્યાન રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે– હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી
અને સંરક્ષણાનુબંધી. (૧) હિંસાનુબંધી–હિંસા એટલે વધ અને બંધન આદિથી પીડા પમાડવી. અનુબંધ એટલે
સતત થવું. પીડા પમાડવાનું સતત પ્રણિધાન તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધી–મૃષા એટલે અસત્ય. અસત્ય બોલવાનું સતત પ્રણિધાન તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન. (૩) તેયાનુબંધી-તેય એટલે ચોરી, ચોરી કરવાનું સતત પ્રણિધાન તે તેયાનુબંધી રૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનુબંધી-વિષયોનું સાધન એવા ધનના સંરક્ષણનું સતત પ્રણિધાન તે
સંરક્ષણાનુબંધી-રૌદ્રધ્યાન.
રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે-ઉત્સત્રદોષ, બહુલદોષ, અજ્ઞાનદોષ અને આમરણાંતદોષ. (૧) ઉત્સન્નદોષ–હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં વારંવાર પ્રવૃત્તિ કરે. (૨) બહુદોષ-હિંસાદિ ચારેમાં વારંવાર પ્રવૃત્તિ કરે. (૩) અજ્ઞાનદોષ-કુશાસ્ત્રોના સંસ્કારોથી અધર્મસ્વરૂપ હિંસા આદિમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે. (૪) આમરણાંત દોષ-કોઈ જાતના પશ્ચાત્તાપ વિના જીવનપર્યત હિંસાદિની પ્રવૃત્તિ કરે. જેમ કે- કાલસૌકરિક.
ધર્મધ્યાન ધર્મધ્યાનના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે- આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાક
વિચય અને સંસ્થાનવિચય. (૧) આજ્ઞાવિચય-વિચય એટલે નિર્ણય. જેમાં જિનાજ્ઞાનો નિર્ણય કરવામાં આવે તે
આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
૧. મૂળસૂત્રમાં રહેલા વડોયારે પદનો અર્થ આ પ્રમાણે છે–‘વડપલોયારે ત્તિ તુવું બે-તક્ષIss
लम्बनाऽनुप्रेक्षालक्षणेषु पदार्थेषु प्रत्यवतार:-समवतारो विचारणीयत्वेन यस्य तच्चतुष्प्रत्यवतारं, चतुर्विधशब्दस्यैव पयार्यो वाऽयम् ।