________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૯૧ પહોરની જેમ પસાર કરી.” પછી બહુ દિવસો થતાં વિનયંધર રાજાએ મારી પાસે આ ગાથા લખાવી છે એમ ભૂલી ગયો. રાજાએ નગરના (મુખ્ય) લોકોને ભેગા કરીને તે ભોજપત્ર બતાવીને કહ્યું કે કોઇએ અંતઃપુરમાં મોકલેલું આ ભોજપત્ર મને મળ્યું છે. તેથી તમે વણિકોની પાસે લિપિ લખાવો, અને આ ભોજપત્રના જેવી લિપિ કોની છે તે કહો. આ પ્રમાણે કપટથી ગુસ્સે થયેલા રાજાએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે નગરલોકોએ કર્યું. વિનયંધરની લિપિ સાથે ભોજપત્રની લિપિ મળતી આવી. પછી ગુસ્સે થયેલા રાજાએ નગરના લોકોની અનુમતિપૂર્વક તેના ઘરમાં તાળાઓ લગાડાવીને, વિનયંધરને પકડીને તે ચારેય સ્ત્રીઓને અંતઃપુરમાં રાખી. ભવાંતરમાં પાળેલા શીલગુણથી આકર્ષાયેલી શાસનદેવીએ જલદી તેમને અતિશય કુરૂપવાળી કરી. તેથી ભય પામેલા, આશ્ચર્ય પામેલા અને વિરક્ત ચિત્તવાળા રાજાએ ખમાવીને પિત્નીઓની સાથે વિનયંધર વણિકને મૂકી દીધો. ફરી પણ તે ચારેય સુરૂપવાળી થઈ ગઈ. પછી વિશુદ્ધ શીલથી તેમની નગરમાં પ્રશંસા ફેલાણી.
હવે એકવાર ત્યાં કોઈપણ રીતે તીર્થંકર પધાર્યા. દેવોએ કરેલા સમવસરણમાં દેવો, મનુષ્યો અને તિર્યંચોને ધર્મ કહે છે. તેથી રાજા અને વિનયંધર વગેરે નગરલોક ત્યાં ગયો. હવે ધર્મકથાના અંતે રાજાએ તીર્થકરને પૂછ્યું: (10) હે ભગવંત! તે વખતે મારા વડે ખેંચી લેવાયેલી વિનયંધરની પત્નીઓ કુરૂપવાળી કેમ થઈ ગઈ? તીર્થકરે પૂર્વભવમાં તેમણે શીલવ્રતમાં જે રીતે દઢતા કરી હતી તે રીતે બધું કહ્યું. તે સાંભળીને બધા સંવેગને પામ્યા. રાજા અને વિનયંધરી પત્ની સહિત શુદ્ધચારિત્રનો સ્વીકાર કરીને કર્મરજને સંપૂર્ણ દૂર કરીને મોક્ષને પામ્યા. આ પ્રમાણે સંક્ષેપથી આ કથાનક કહ્યું. વિસ્તારથી તો ઉપદેશપદ વગેરે ગ્રંથોથી જાણી લેવું. [૬૪].
આ પ્રમાણે રતિસુંદરી આદિનું ચરિત્ર પૂર્ણ થયું. શીલના માહાભ્યને પ્રસિદ્ધ કરવા માટે જ કહે છેजलहीवि गोपयं चिय, अग्गीवि जलं विसंपि अमयसमं । सीलसहायाण सुरावि, किंकरा हुंति भवणम्मि ॥ ६५॥ सुरनररिद्धीऽविय किंकरिव्व, गेहंगणिव्व कप्पतरू । सिद्धिसुहंपि य करयलगयं, व वरसीलकलियाणं ॥६६॥
આ જગતમાં શીલની સહાયવાળા જીવોને સમુદ્ર પણ ખાબોચિયું, અગ્નિ પણ પાણી, વિષ પણ અમૃત સમાન અને દેવો પણ નોકર થાય છે. [૬૫] શ્રેષ્ઠશીલથી યુક્ત જીવોને દેવ-મનુષ્યની ઋદ્ધિ પણ જાણે દાસી હોય તેવી પ્રાપ્ત થાય છે, કલ્પવૃક્ષ જાણે આંગણે રહેલું છે, સિદ્ધિસુખ પણ જાણે હથેલીમાં રહેલું છે. [૬૬]