SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १२ થાય છે. આવી તમારી માન્યતા છે. યોગસૂત્ર (૨-૨૦) માં કહ્યું છે-દ્રષ્ટા શિશમાત્ર શુદ્ધોડ િપ્રત્યાનુપ૨૫, તર્થ વ ટુથસ્થાનૈતિ. પુરુષનું પ્રયોજન એ જડ એવી પ્રકૃતિનું કર્તવ્ય છે એમ માનવું પણ યુક્તિસંગત નથી. પુરુષાર્થ=પુરુષનું પ્રયોજન માટે કર્તવ્ય છે' આવો અધ્યવસાય અભિપ્રાય એ જ તો પુરુષાર્થકર્તવ્યતા છે. પ્રકૃતિનો તેવો સ્વભાવ માનવામાં તો એની જડતા ઊડી જાય. વિવેચન : (૧) પાતંજલ-સાંખ્યવગેરે દર્શનો એકાન્તવાદી છે. એટલે પ્રકૃતિને એક માને એનો અર્થ એ સર્વથા એક જ છે.. કોઈ જ અંશે અનેકતા નથી. વળી સર્વથા એક વસ્તુનો સ્વભાવ પણ સર્વથા એક માનવો પડે છે. નહીંતર તો સ્વભાવભેદે વસ્તભેદ માનવો જરૂરી બનવાથી સર્વથા એકત્વ હણાઈ જાય. પુરુષનો અભિભવ કરવો એ પ્રકૃતિનો સ્વભાવ છે. આ અભિભવ કરવાનો અધિકાર એટલે પ્રકૃતિનું ઉપધાન. એ જો એક પુરુષ પ્રત્યે વિલીન થઈ ગયો છે. અર્થાતું એક પુરુષ પ્રત્યે પ્રકૃતિ જો વિલીનઉપધાનસ્વભાવવાળી બની છે, તો એ વખતે એ અન્ય પુરુષો પ્રત્યે કેવા સ્વભાવવાળી છે? અવિલીનઉપધાનસ્વભાવવાળી તો માની શકાય નહીં, કારણ કે તો તો એનું સર્વથા એકત્વ રહી ન શકે. એટલે જો વિલીનઉપધાનસ્વભાવવાળી માનવામાં આવે તો એનો મતલબ બધા જ પુરુષોનો મોક્ષ થઈ ગયો. એ ન થાય એ માટે, એને અવિલીનઉપધાનસ્વભાવવાળી માનવામાં આવે, તો વિવક્ષિત પુરુષ પ્રત્યે પણ એવા જ સ્વભાવવાળી હોવાથી એનો પણ અમોક્ષ જ કહેવો પડે. (૨) વળી પાતંજલમતે પુરુષ નિષ્ક્રિય હોવાથી પોતાના ભોગસુખ માટે પોતે કશું કરતો નથી, એટલે એ માટે પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે. યોગસૂત્ર (૨-૨૦)માં કહ્યું છેદ્રષ્ટા પુરુષ ચૈતન્યમાત્રરૂપ છે. એ શુદ્ધ હોવા છતાં પ્રત્યયાનુપશ્ય બને છે. આમાં પ્રત્યય એટલે વિષયો પરક્ત જ્ઞાન, એટલે કે વિષયોપરાગવાળી બનેલી બુદ્ધિ. આવી બુદ્ધિના સરિધાનમાત્રથી પુરુષ અનુ અવ્યવધાનથી પશ્યન્નદ્રષ્ટા બને છે. તદર્થતી અર્થ =તેનું પ્રયોજન. એમાં તે–પુરુષ. પુરુષના બે પ્રયોજન છે-ભોગ અને અપવર્ગ. પુરુષના આ બે પ્રયોજન માટે જ દશ્ય=પ્રકૃતિનો વિકાર બુદ્ધિ. એનો આત્માસ્વરૂપ છે. અર્થાત્ પુરુષના આ બે પ્રયોજન માટે જ બુદ્ધિ છે, બુદ્ધિને પોતાનું કોઈ પ્રયોજન નથી. ટૂંકમાં પુરુષને ભોગ કરાવવા માટે જ પ્રકૃતિ-બુદ્ધિ બાહ્ય ઘટાદિરૂપે અને આંતરિક સુખારિરૂપે પરિણામ પામે છે. માટે અહીં સૂત્ર (૨-૨૦)માં કહ્યું છે તf=તેના પુરુષના પ્રયોજન માટે જ દશ્યનો–બુદ્ધિનો આત્મા એટલે કે સ્વરૂપ છે પાતંજલમતની આવી માન્યતા અંગે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે પ્રકૃતિ તો જડ છે, પુરુષનું પ્રયોજન એનું કર્તવ્ય હોય એ સંભવતું નથી. કારણ કે પુરુષનું પ્રયોજન એ મારું કર્તવ્ય છે? આ 3. દશ્યનો આત્મા=દેશ્યનું સ્વરૂપ તે દશ્યનો અર્થ જ છે સ્વાર્થના પરિહારથી પુરુષના ભોગસંપાદનરૂપ દશ્યનું છે. અહોભ્રાન્તિઃ... યોગસૂત્ર (૨-૨૧) તદર્થ gવ કૂરચત્મિા આ સૂત્રનો અર્થ એ પંડિત(!) કરી રહ્યા છે. તેઓ આ સૂત્રમાં રહેલા તત્ શબ્દનો (‘તે'નો) અર્થ “દશ્ય કરી રહ્યા છે. આ ભ્રમણા છે. કારણ કે (૧) આગળના સૂત્ર નં. ૨.૨૦ માં દ્રષ્ટા'ની વાત છે, દશ્યની નહીં, તેથી આ સૂત્રમાં થી દ્રષ્ટાનો જ પરામર્શ થઈ શકે. (૨) રાજમાર્તડ ટીકામાં તકર્થ નો અર્થ કરતાં તણ પુરુષથ.. એમ જણાવેલ છે. એમ ભાવાગણેશે પણ તળ એમ અર્થ કરેલ છે. (૩) ત૬ શબ્દ જો દશ્યનો પરામર્શક હોય તો એ જ સૂત્રમાં આગળ કુશળત્મા જે લખેલ છે ત્યાં પણ તથાત્મિા એમ જ જણાવત. શબ્દશઃ વિવેચનકારે એ અધિકારમાં આગળ પણ ‘દ્રષ્ટાનો અર્થ’ ના બદલે ‘દશ્યનો અર્થ’ એમ જે અર્થ કરેલ છે તે ભ્રાન્ત જાણવો.
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy