SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ३१९ प्रकृतेरपि चैकत्वे मुक्ति: सर्वस्य नैव वा । जडायाश्च पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् ।। १२ ।। प्रकृतेरिति । प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्यात्, नैव वा कस्यचित् स्यात् । एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान्प्रति तथात्वात् एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रत्यतथात्वात् । अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात् । किञ्चात्मनोऽव्याप्रियमाणस्य भोगसम्पादनार्थमेव प्रकृतिः प्रवर्तत इति भवतामभ्युपगमः । तदुक्तं“द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः (यो.सू.२-२०) । तदर्थ एव दृश्यस्यात्मेति” (यो.सू.२-२१) । जडायाश्च तस्याः पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् । “पुरुषार्थो मया कर्तव्य" इत्येवंविधाध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।। १२ ।। રહે છે. આમ ફૂટની જેમ જે હંમેશા બદલાયા વિના રહે તે ફૂટસ્થ નિત્ય. પાતંજલમતે આત્મા પુષ્કરપલાશવત્ નિર્લેપ છે. સંસાર અવસ્થા દરમ્યાન પણ જો એ આવો જ નિર્લેપ હોય... તો એ વખતે પણ એ મુક્ત જ શા માટે ન કહેવાય ? કારણકે નિર્લેપતા તો મુક્તાત્મામાં માનવી ઉચિત છે. નિર્લેપતા હોવા છતાં જો એને સંસારી માનવાનો હોય તો એને મોક્ષમાં પણ સંસારી જ માનવાનો રહેશે, કારણ કે આત્મામાં તો કોઈ જ ફેરફાર થયો નથી. અને તો પછી મોક્ષનો અભાવ થઈ જશે... શંકા : સક્રિય એવી પ્રકૃતિનું સંનિધાન હોવું-પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિના સંનિધાનથી પુરુષોપરાગ થવો એ પુરુષનો સંસા૨પર્યાય છે. અને એ ખસી જવો એ મોક્ષપર્યાય છે. આશય એ છે કે સ્ફટિકના સ્વરૂપમાં કોઈ જ ફેરફાર ન હોવા છતાં લાલ વસ્ત્રના સંનિધાનથી એ લાલ જણાય છે અને એ કપડું હટી જવા પર લાલ જણાતો નથી. એમ બુદ્ધિના સંનિધાનના કારણે પુરુષ વિવિધવૃત્તિઓવાળો ભાસવો એ જ એની સંસા૨અવસ્થા, અને બુદ્ધિના ખસી જવા ૫૨ એ સ્વસ્વરૂપમાં ભાસવો એ જ એની મોક્ષાવસ્થા. પછી સંસાર કે મોક્ષનો અભાવ થવાનો પ્રશ્ન જ ક્યાં છે ? સમાધાન : સંસારદશામાં પ્રકૃતિ કે તેના વિકારથી ઉપહિત હોવાનો જે સ્વભાવ માનો છો એને પુરુષ મોક્ષદશામાં છોડે છે કે નહીં ? જો છોડી દેશે તો એનામાં જે કૂટસ્થનિત્યત્વ માન્યું છે તે ઊડી જશે. અને જો નથી છોડતો, તો મોક્ષનો અભાવ થવો સ્પષ્ટ છે જ. ॥ ૧૧-૧૧ || (પાતંજલમાન્યતામાં અન્યદોષ પણ દર્શાવે છે-) ગાથાર્થ : પ્રકૃતિ જો એક જ હોય તો કાં તો બધા જીવોની મુક્તિ થઈ જાય, કાં તો કોઈની નહીં થાય. વળી જડ એવી પ્રકૃતિનું પુરુષના પ્રયોજનનું કર્તવ્યત્વ માનવું યુક્તિ અસંગત છે. ટીકાર્થ : 'પ્રકૃતિને એક માનવામાં આવે તો બધા જીવોની મુક્તિ થઈ જાય અથવા કોઈની નહીં થાય, કારણ કે એક જીવ પ્રત્યે જ જો એનું ઉપધાન વિલીન થઇ ગયું છે તો સર્વજીવો પ્રત્યે તેવું થઈ જ ગયું હોય... અને જો એક જીવ પ્રત્યે એ તેવું ન થયું હોય તો બધા જ પ્રત્યે થયું ન હોય. અન્યથા સ્વભાવભેદ માનવામાં પ્રકૃતિનો ભેદ થઈ જશે. વળી, આત્મા તો કશો વ્યાપાર કરતો નથી. એટલે એને ભોગનો અનુભવ કરાવવા માટે પ્રકૃતિ પ્રવૃત્ત
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy