SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ४६९ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ तक्रियायोगहेतुत्वाद्योग इत्युचितं वचः । मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ।।१६।। तदिति । तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य हेतुत्वाद् (=क्रियायोगहेतुत्वाद्) योग इति = एवमुचितं, વિવેચન : ચૌદમી ગાથામાં એ ગોપેન્દ્ર નામના યોગાચાર્યનું વચન છે. આ વચનને અનુસરીને અન્ય દર્શનકારો શાન્ત-ઉદાત્તત્વાદિ ગુણયુક્ત અપુનર્બન્ધક જીવને યોગ હોવો સ્વીકારે છે. કારણ કે અપુનર્બન્ધક જીવ પરથી પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થયો હોય છે. (એટલે કે એ નિવૃત્ત થવાપર જીવ અપુનર્બન્ધક બન્યો હોય છે.) યોગનું આ હોવાપણું કઈ રીતે સંગત છે એ આ ગાથામાં દર્શાવ્યું છે. (૧) મનગમતો વિષય આવ્યો ને ઇન્દ્રિયને એમાં પ્રવર્તાવવી. નિમિત્ત મળ્યું ને કષાયાવિષ્ટ થઈ જવું. અનાદિકાળથી જીવનું આવું જ વલણ છે, તે પ્રવાહ શ્રોતસુશ્રોતો છે. એ પ્રવાહમાં તણાવું તે અનુશ્રોતોગામિત્વ છે. આનાથી વિપરીત, ગમે એટલો આકર્ષક વિષય ઉપસ્થિત થાય તો પણ ઇન્દ્રિયને એમાં જવા ન દેવી, પાછી ખેંચી લેવી. એમ પ્રબળ નિમિત્ત મળવા છતાં કષાય કરવો નહીં. આમાં, નદીમાં સામે પ્રવાહે તરવામાં જેમ બહુ સંઘર્ષ કરવો પડે છે, એમ ખૂબ સંઘર્ષ કરવો પડે છે, માટે આ પ્રતિશ્રોતોનુગામિત્વ છે. વિષય અને કષાય જીવને સંસાર તરફ તાણી જનારા છે. એટલે વિષય-કષાયને રુંધવા. એનાથી દૂર જવું એ સંસારથી દૂર જવારૂપ હોવાથી મોક્ષ તરફની ગતિરૂપ બને છે. માટે એ યોગ છે. (૨) આ પ્રતિશ્રોતોનુગામિત્વ એ વિષય-કષાયની સામે પડવારૂપ હોવાથી એ બન્નેનું જોર ઘટાડે છે. આ જોર ઘટવું વિષય-કષાય મોળા પડવા એ જ તો શુભ પરિણામ છે. એટલે આમ સામે પડતા રહેવાથી પ્રતિદિન શુભ પરિણામની વૃદ્ધિ થતી રહે છે. આ વૃદ્ધિ એ યોગનું ફળ છે. અને ફળ (=કાર્યો હોય તો કારણ (5યોગ) હોવું જ જોઈએ. માટે આ જીવને યોગની વિદ્યમાનતા માનવી ઉચિત સંગત છે. (૩) યોગબિન્દુના આ કથનનો ભાવાર્થ આવો છે-સામાન્યથી નદીનો પ્રવાહ પોતાના ઉદ્ગમસ્થાનથી મહાસમુદ્ર તરફનો હોય છે. આ અનુશ્રોત છે. પણ મહાસમુદ્રની નજીક મહાસમુદ્રના ક્ષોભથી નદીનું મીઠું જળ પાછું ફરીને પોતાના ઉદ્ગમસ્થાન તરફ વળે છે. આ પ્રતિશ્રોત છે. ઉપસંહાર એટલે પાછા ફરવાનું થવું એ. એના કારણે વલન=ઉદ્દગમસ્થાન તરફનું જળનું ગમન.... એ જેમ વધતું જાય છે, એમ, સામાન્યથી સંસારસમુદ્ર તરફ જીવનું જે ગમન થતું હોય છે, તે પ્રતિશ્રોતોનુગામિત્વેન સંસારસમુદ્રથી વિપરીત એ દિશાના ગમન=વલનરૂપ હોવાથી પ્રતિદિન વૃદ્ધિયુક્ત બને છે. ૧૫ (ગોપેન્દ્રાચાર્યના વચનની સંગતિ દર્શાવે છે.) ગાથાર્થ : ક્રિયાયોગનો હેતુ હોવાથી યોગ છે. તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અતિદઢચિત્તવાળા ભિન્નગ્રન્થિ જીવને તો ભાવથી યોગ હોય છે. ટીકાર્થઃ સદાચારરૂપ ક્રિયાયોગનો હેતુ હોવાથી યોગ છે આ પ્રમાણે વિચારીએ તો તે વચન ઉચિત છે. કારણ કે આ જીવ દ્રવ્યયોગવાળો છે. મોક્ષમાં નિર્વાણમાં અતિ દઢચિત્તવાળા ભિન્નગ્રન્થિ જીવને=જેનું હૃદય મોક્ષમાં એકધારાથી લાગી ગયું છે એવા અને જેણે અતિતીવ્ર-રાગ-દ્વેષ પરિણામરૂપ ગ્રન્થિને ભેદી નાખી છે એવા જીવને તો ભાવથી યોગ સંભવે છે. કારણ કે મોક્ષની આકાંક્ષામાં અક્ષણિક ચિત્તવાળા સમ્યગુદૃષ્ટિ જીવની જે
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy