SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ कथाद्वात्रिंशिका ९ - १२, १३ 'जा ससमएण पुव्विं अक्खाया तं छुभेज्ज परसमए । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ।।" (द.वै.नि. રૂ 9૧૮) II99. श्रोतुः परसमयदूषणे माध्यस्थ्यं ज्ञात्वैव विक्षेपणी कथनीयेति फलितमाहकटुकौषधपानाभा कारयित्वा रुचिं सता । રૂયં વેચાડચથા સિદ્ધિને વિતિ વિદુર્વાદ | ૧૨ વતિ मता संवेजनी स्वान्यदेहेहप्रेत्यगोचरा । यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ।। १३।। मतेति । यया कथया विपाकविरसत्वतः = विपाकवैरस्यात् प्रदर्शितात् श्रोता संवेज्यते = संवेगं ग्राह्यते વિવેચન-(૧) સુંદર ઊહાપોહ કરે એટલે પોતે આજ સુધી જે સાંખ્યાદિદર્શનની શ્રદ્ધાવાળો છે એની વાતોની અસંગતિ ભાસવાથી એના પ્રત્યેની શ્રદ્ધા ડગવા લાગે છે. આ શ્રદ્ધાનું ડગવું એ જ વ્યાક્ષેપ છે ને એ જ સાચા માર્ગની પ્રાપ્તિની ભૂમિકા ઊભી કરનારો હોવાથી માર્ગાભિમુખ્યત્રમાર્ગને સન્મુખ થવારૂપ છે. શ્રોતાની આવી ભૂમિકા થાય એટલે એ જ પૂછે કે તો શું અમારા એકાન્ત નિત્ય માન્યતાવાળા દર્શનમાં હિંસા-અહિંસા ખરેખર ઘટી શકતા નથી ? એટલે એકાન્ત માનવામાં આવતા વાસ્તવિક દોષો એને સમજાવીને એની ડગુમગુ થયેલી શ્રદ્ધાને પૂરી ખતમ કરી નાખે જેથી એને વાસ્તવિક જૈનમાર્ગની પ્રાપ્તિ થાય. શ્રોતા આવો હોય તો સ્વકૃતની વાતો પરસૃતમાં નાખવી વગેરે કર્યા વગર સીધી પરહ્યુતની વાતો કહી શકાય છે. જે ૧૧ // પરસમયને દૂષિત ઠેરવવામાં શ્રોતાનું માધ્યચ્ય જાણીને જ વિક્ષેપણી કથા કરવી જોઈએ-એમ ફલિતાર્થ જણાવે છે - ગાથાર્થ : સત્પરુષે શ્રોતામાં રુચિ ઊભી કરીને કટુઔષધપાનતુલ્ય આ કથા કહેવી જોઈએ. અન્યથા સિદ્ધિ થતી નથી એ પ્રમાણે પંડિતો જાણે છે. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ છે. વિવેચન : સ્વમાન્ય સિદ્ધાન્તના દૂષણ સાંભળવા છતાં જે માધ્યશ્મ જાળવી શકે એવા શ્રોતાને જ વિક્ષેપણી કથા કહેવાની હોય છે. વળી તે પણ એની એવી રુચિ પેદા કર્યા પછી જ, એ વિના નહીં, કારણકે આ કથા કડવું ઔષધ પાવાતુલ્ય છે. // ૧૨ // (ત્રીજી સંવેજની નામની ધર્મકથાને જણાવે છે -). ગાથાર્થ સ્વશરીર, પરશરીર, આલોક અને પરલોક વિષયવાળી તે કથા સંવેજની મનાયેલી છે, જેનાથી વિપાકવિરસતાના કારણે શ્રોતા સંવેગ પામે છે. ટીકાર્થ: જે કથા દ્વારા દેખાડાયેલ વિપાકવિરસતાથી શ્રોતા સંવેગ પામે છે, તે કથા સંવેજની મનાયેલી 3. શ્લોકમાં રહેલ ટુૌષધપાનામા, શ્લોકમાં ઇયં શબ્દથી પ્રતિપાદિત વિક્ષેપણ કથાનું વિશેષણ છે. કટુઔષધપાનતુલ્ય કથા છે, રુચિ નહીં. તેમ છતાં શબ્દશઃ વિવેચનકારે આને રુચિનું વિશેષણ બનાવ્યું છે. રુચિમાં કટુઔષધપાનનું સંબંધિત્વ છે, તુલ્યત્વ નહીં.
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy