SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ४३७ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ स्वेष्टसांसारिकसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां मुक्तौ स्यादित्युत्तरार्धार्थः ।।१९।। समाधत्ते सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः । मुक्त्यद्वेषो (क्रियारागो) न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ।।२०।। सत्यमिति । (सत्यम्,) तद्धेतोरनुष्ठानस्य हि बीजं (एतदन्यतरार्जितः=) एतयोः = मुक्त्यद्वेषरागयोरन्यतरेणार्जितः = जनितः क्रियारागः = सदनुष्ठानरागः । तेनातिप्रसङ्गः कोऽपि न दृश्यते । अभव्यानामपि ટીકાર્થ : 'તમારી વાત સાચી છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ કે રાગ. આ બેમાંથી એક વડે ઉત્પન્ન થયેલો ક્રિયારાગ=સદનુષ્ઠાનનો રાગ જ તહેતુ અનુષ્ઠાનનું બીજ છે. તેથી કોઈ અતિપ્રસંગ જોવા મળતો નથી. ‘અભવ્યાદિને સ્વર્ગપ્રાપ્તિના કારણભૂત મુક્તિઅદ્વેષ હોવા છતાં પણ એ સદનુષ્ઠાનરાગનો પ્રયોજક હોતો નથી. બાધ્યફળાપેક્ષાથી સહકૃત એવો તે=મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનરાગનો અનુબંધી છે=કારણ છે. વિવેચન ગાથામાં જે મુવત્યષો શબ્દ છે ત્યાં ટીકા વગેરેને અનુસરીને જિયારી શબ્દ જોઈએ. (૧) તમારી વાત મુક્તિઅદ્વેષને તદુહેતુનું કારણ માનવામાં આવે તો અભવ્યના અનુષ્ઠાનમાં તદૂહેતુ અનુષ્ઠાનના લક્ષણની અતિવ્યાપ્તિ થાય આવી તમારી વાત સાચી છે. પણ અમે એના કારણ તરીકે સદનુષ્ઠાનનો રાગ માનીએ છીએ જે અભવ્યના અનુષ્ઠાનમાં ન હોવાથી હવે અતિવ્યાપ્તિ થશે નહીં. આ સદનુષ્ઠાનનો રાગ મુક્તિઅદ્વેષ કે મુક્તિના રાગથી ઉત્પન્ન થાય છે. | (શંકા : મુક્તિઅદ્વેષ તો અભવ્યને પણ સંભવિત છે જ. એટલે એને પણ સદનુષ્ઠાન રાગ થવાથી અતિવ્યાપ્તિ ઊભી જ રહેશે.) (૨) અભવ્યાદિને જે મુક્તિઅદ્વેષ હોય છે તે સ્વર્ગપ્રાપ્તિનો પ્રયોજક બની શકે છે, પણ સદનુષ્ઠાનરાગનો પ્રયોજક બની શકતો નથી. તે પણ એટલા માટે કે જે બાધ્યફળાપેક્ષાથી સહકૃત હોય એવો જ મુક્તિઅદ્વેષ એનો પ્રયોજક મનાયેલો છે. અભવ્યની ફળાપેક્ષા તો અબાધ્ય હોય છે. શંકાઃ ચોથી ગાથાની ટીકામાં વારિત્રક્રિયા નામર્થતયે ન લેવો, રાસીમાં ફેષાનવજાશાત્ (ચારિત્રક્રિયા વગેરેમાં લાભાદિ અર્થિતાના કારણે જ ષ હોતો નથી, કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષને અવકાશ હોતો નથી.) આમ જણાવેલું છે. એ જ જણાવે છે કે અનુષ્ઠાન પ્રત્યે અભવ્યાદિને પણ રાગ થાય જ છે. કારણ કે નહીંતર 5. શબ્દશઃ વિવેચનકારે ટીકાર્યમાં અહીં ટીકામાં પતયોર્મુત્યપરાયો ના સ્થાને આ પાઠ પતયોસ્કૃવત્યષમના કુરિયોઃ જોઈએ. આમ પાઠ ફેરવવાનું જે સૂચન કર્યું છે તે બિનજરૂરી જાણવું. ટીકાના પાઠમાં ઇતરેતરન્દ સમાસ હોવાથી મુક્તિપદનો અન્વય રાગમાં પણ થાય જ છે. તેથી મુક્તિરાગ અર્થ મળી જાય છે. અને આગળ-પાછળના અનુસંધાનથી આ મુક્તિરાગ મનાગુ (=અલ્પ) હોવો જોઈએ એ પણ સમજાઇ જાય છે. તેથી એ ફેરફારસૂચન ઉચિત જણાતું નથી. મુક્તિઅદ્વેષ કે મનાગુ મુક્તિરાગદ્વારા સંપન્ન થયેલો સદનુષ્ઠાનરાગ જ તદ્ધ,અનુષ્ઠાનનું બીજ છે.
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy