SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - १२ विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजाऽनुष्ठानमिति पञ्चविधं जगुः ।। ११।। विषमिति । पञ्चानामनुष्ठानानामयमुद्देशः ।।११।। विषं लब्ध्याद्यपेक्षातः क्षणात्सच्चित्तनाशनात् । दिव्यभोगाभिलाषेण गरः कालान्तरे क्षयात् ।। १२ ।। विषमिति । लब्ध्याद्यपेक्षातः = लब्धि-कीर्त्यादिस्पृहातो यदनुष्ठानं तद् विषमुच्यते । क्षणात् तत्कालं सच्चित्तस्य = शुभान्तःकरणपरिणामस्य नाशनात् (=सच्चित्तनाशनात्), तदाभोगेनैव तदुपक्षयात् । अन्यदपि हि स्थावर-जङ्गमभेदभिन्नं विषं तदानीमेव नाशयति। ટીકાર્થ: (ભવાભિવંગ અને અનાભોગ આ બન્ને) શબ્દોના અર્થ પૂર્વગાથાની ટીકામાં કહેવાઈ ગયેલા હોવાથી ગતાર્થ છે. વિવેચનઃ (૧) અહીં ભૌતિક શબ્દનો ઉલ્લેખ ન હોવા છતાં, આલોક-પરલોક સંબંધી ફળ તરીકે ભૌતિક ફળ જ સમજાય છે. એટલે જણાય છે કે જ્યારે અન્ય કોઈ વિશેષ ઉલ્લેખ ન હોય ત્યારે આલોક-પરલોકનું ફળ.. આલોક-પરલોકનું સુખ. આલોક-પરલોકમાં વાંછિત આવા બધા શબ્દો ભૌતિક ફળ-સુખ- ઇચ્છિતને જ જણાવતા હોય છે. ભૌતિક અપેક્ષા અબાધ્યકક્ષાની હોય તો જ ભવાભિવંગ છે. બાધ્યકક્ષાની હોય તો નહીં, આ વાત પૂર્વે વિચારી ગયા છીએ. (૨) ગુરુપૂજન વગેરે અનુષ્ઠાન યોગની પૂર્વસેવારૂપ ક્રિયા છે. તેમ છતાં, એમાં મુક્તિષ સાથે ભૌતિક અપેક્ષા ભળેલી હોય તો એ સંસાર ફળક બનતા હોવાથી વિપરીત પ્રણિધાનરૂપ છે. મુક્તિઅદ્વેષ કે મુક્તિના ઈષાગ સાથે ભૌતિક અપેક્ષા હોય તો એ અનુષ્ઠાન પરંપરાએ પણ મુક્તિનું કારણ બનતા હોવાથી એ અનુકૂળ પ્રણિધાન છે. તીવ્ર સંવેગ તો અત્યંત અનુકૂળ પ્રણિધાન છે. આમાંનું કોઈ જ પ્રણિધાન ન હોવું એ ક્રિયોચિત ભાવના ઉલ્લંઘનરૂપ છે ને તેથી અનાભોગ છે. ll૧૦ (પાંચ અનુષ્ઠાનના નામ જણાવે છે-). ગાથાર્થઃ ગુર્વાદિપૂજા વગેરે અનુષ્ઠાન વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ધત અને અમૃત. આમ પાંચ પ્રકારે કહેવાયેલું છે. ટીકાર્થઃ પાંચ અનુષ્ઠાનોનો આ ઉદ્દેશ (સામાન્ય ઉલ્લેખ) કર્યો. ll૧૧ાા (હવે, યશોદેશે નિર્દેશઃ ન્યાયે પ્રથમ વિષ-ગરનું સ્વરૂપ જણાવે છે-). ગાથાર્થ : લબ્ધિ વગેરેની અપેક્ષાથી અનુષ્ઠાન વિષ બને છે, કારણ કે એ ક્ષણાતુતત્કાળ સચ્ચિત્તનું મારણ કરે છે. દિવ્યભોગના અભિલાષથી અનુષ્ઠાન ગર બને છે, કારણ કે એ કાળાન્તરે સચ્ચિત્તનું કારણ કરે છે. ટીકાર્થઃ લબ્ધિ વગેરેની અપેક્ષાથી=લબ્ધિ, કીર્તિવગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે તે વિષઅનુષ્ઠાન કહેવાય છે, કારણ કે ક્ષણમાં જ = તત્કાળ જ ચિત્તનો શુભઅંતઃકરણ પરિણામનો નાશ થાય છે. એટલે કે અનુષ્ઠાનથી મેળવેલા ભોગસુખથી જ એ શુભ પરિણામનો ક્ષય થઈ જાય છે. બીજું પણ સ્થાવર જંગમ પ્રકારવાળું જે વિષ હોય છે, એ ત્યારે જ (પ્રાણોનો) નાશ કરી નાખે છે. ઐહિક ભોગથી નિરપેક્ષપણે સ્વર્ગસુખની વાંછા એ અહીં દિવ્યભોગાભિલાષ તરીકે અભિપ્રેત છે. તેના કારણે અનુષ્ઠાન ગર કહેવાય છે, કારણ કે એનાથી કાળાન્તરે ભવાંતરમાં ક્ષય થાય છે. એટલે કે ભવાંતરમાં ભોગથી પુણ્યનો નાશ થઈ જવા
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy