SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ३९४ पूर्वसेवाद्वात्रिंशिका १३ ३१ न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः । तत्रोपाये च नवधा योगिभेदप्रदर्शनात् ।। ३१ ।। न चेति । न चायमेव = मुक्त्यद्वेष एव रागः स्यात् मुक्तिरागो भवेदिति वाच्यम् । मृदुमध्याधिकत्वतः=जघन्यमध्यमोत्कृष्टभावात् । तत्र = मुक्तिरागे उपाये च = मुक्त्युपाये च नवधा = नवभिः ઉપલક્ષણથી ઉપાયનો—જ્ઞાન-ક્રિયા યોગનો અદ્વેષ પણ સમજી લેવાનો. એ અદ્વેષથી પણ કલ્યાણ પરંપરા છે અને એ પછી જ્ઞાનયોગ – ક્રિયાયોગની રુચિ પ્રગટે તો તો વિશેષરૂપે કલ્યાણપરંપરા થાય છે એમ સમજવું. I॥૩૦॥ મુક્તિઅદ્વેષનું ફળ કલ્યાણપરંપરા છે.. મુક્તિરાગનું પણ એ જ ફળ છે. તો બંનેને અલગ માનવા કરતાં મુક્તિરાગને જ મુક્તિઅદ્વેષરૂપ માનો ને.. અર્થાત્ મુક્તિદ્વેષ, મુક્તિદ્વેષ અને મુક્તિરાગ.. આવી ત્રણ અવસ્થાઓ માનવા કરતાં પહેલાં મુક્તિદ્વેષ અને એ ખસવાપર પછી મુક્તિરાગ... આમ બે જ અવસ્થા માનો ને. આવી શંકાનું સમાધાન આપતાં કહે છે – ગાથાર્થ : ‘આમુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ છે' એમ ન કહેવું. કારણ કે તેમાં અને ઉપાયમાં રહેલાં મૃદુત્વ, મધ્યત્વ અને અધિકત્વને આશ્રીને યોગીઓના નવ પ્રકારે ભેદ દર્શાવાયા છે. = ટીકાર્થ : ‘આ મુક્તિઅદ્વેષ જ મુક્તિરાગ હશે' એમ ન કહેવું, કારણ કે તેમાં = મુક્તિરાગમાં અને (મુક્તિના) ઉપાયમાં મૃદુ-મધ્ય- અધિકત્વને=જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણાને આશ્રીને યોગીઓના નવ પ્રકારે ભેદનું વર્ણન મળે છે. તે આ પ્રમાણે... મૃદુઉપાય- મૃદુસંવેગ, મધ્યઉપાય - મૃદુસંવેગ, અક્ષુપાય- મૃદુસંવેગ, મૃદુઉપાય- મધ્યસંવેગ, મધ્યઉપાય-મધ્યસંવેગ, અક્ષુપાય- મધ્યસંવેગ, મૃદુઉપાય- અધિસંવેગ, મધ્યઉપાય અધિસંવેગ, અધિઉપાય- અધિસંવેગ.. આમ નવ પ્રકારે યોગીઓ હોય છે, એમ યોગાચાર્યો કહે છે. વિવેચન ઃ મુક્તિરાગ=મુક્તિની અભિલાષા=સંવેગ. કેટલાક યોગીઓને આ સંવેગ મૃદુ= મંદ હોય છે, કેટલાકને મધ્યમધ્યમ હોય છે, તો કેટલાકને અધિ=અધિક=ઉત્કૃષ્ટ હોય છે. મુક્તિનો ઉપાય એટલે સાધના. 10. અહીં ગાથામાં 7 ચાયમેવ રાઃ સ્વાત્ તંત્રોપાયે ચ મૃત્યુમધ્યાધિત્વો નવધા યોશિમેવપ્રવર્ણનાત્.. આમ અન્વય છે. એટલે કે કારણ કે તેમાં (=મુક્તિરાગમાં) અને... વગેરે આખું એક જ વાક્ય છે. તેમ છતાં શબ્દશઃ વિવેચન વગેરે બંનેમાં વિવેચનકારોએ અહીં બે વાક્યો કરી નાખ્યાં છે. તે આ રીતે-મુક્તિરાગમાં મૃદુ- મધ્ય-અધિકપણું હોય છે. તેમાં અને મુક્તિઉપાયમાં નવપ્રકારે યોગીભેદનું પ્રદર્શન છે. ધન્ય છે એમની અન્વય કરવાની પંડિતાઈને ! આમાં કેટલી બધી અસંગતિઓ છે ! (૧) જેમ નિશ્ર્વયતઃ નો અર્થ નિશ્ચયનયને આશ્રીને એમ થાય છે. એમ પ્રસ્તુતમાં મૃદુમધ્યાધિકત્વતઃ નો અર્થ ‘મૃદુ-મધ્ય-અધિકપણાને આશ્રીને' એમ છે. જે આ પંડિતોના વિવેચનમાં આવ્યો જ નથી. એટલે કે તસ્ એવી પંચમીવિભક્તિનો અર્થ ઊડી ગયો છે. (૨) ‘તંત્ર = મુક્તિરાગમાં મૃદુ-મધ્ય- અધિકપણું છે' આવું જણાવવા પ્રથમા વિભક્તિ જોઈએ, જે છે જ નહીં. (તસન્ત પંચમી વિભક્તિ છે) (૩) વળી એકવાર તંત્ર નો આ રીતે અન્વય કરી દીધો પછી બીજા વાક્યમાં પાછો એનો અર્થ શી રીતે લેવાય ? સદ્ગુ—રિતઃ શબ્દઃ સવેવાર્થ મતિ.. જો એનો ફ૨ીથી અર્થ લેવાનો હોય તો ટીકાકાર એનો ઉલ્લેખ કરે જ. તથા (૪) ઉપાયમાં પણ મૃદુત્વ વગેરે જે અભિપ્રેત છે એ અર્થ તો આ રીતે ગાથાર્થ કરવાથી મળતો જ નથી. વળી (૫) મુક્તિરાગમાં અને ઉપાયમાં મૃદુત્વાદિ છે, યોગીઓના નવ પ્રકાર નથી.. પણ આ પંડિતોએ મુક્તિરાગમાં અને ઉપાયમાં નવ પ્રકારના યોગીભેદ કહ્યા છે. (૭) શબ્દશઃ વિવેચનકારે શ્લોકાર્થમાં મુક્તિના ઉપાયમાં જણાવ્યું છે ને ટીકાર્થમાં મુક્તિરાગના ઉપાયમાં... એમ જણાવ્યું છે (!)
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy