SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ३६७ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ व्यसनान्यतितरन्ति-अतिक्रामन्ति ते सर्वदेवनमस्कर्तारः ।। ८ ।। ननु सर्वेऽपि न मुक्तिप्रदायिन इति कथमविशेषेण नमस्करणीयाः ? इत्यत आहचारिसञ्जीविनीचारन्यायादेवं फलोदयः । मार्गप्रवेशरूपः स्याद्विशेषेणादिकर्मणाम् ।।९।। 'चारीति । चारिसञ्जीविनीचारन्यायात् = प्रागुपदर्शितादेवं = सर्वदेवनमस्कारेऽनुषङ्गत इष्टप्राप्तौ, तत एव शुभाध्यवसायविशेषाद् मार्गप्रवेशरूपः शुद्धदेवभक्त्यादिलक्षणः फलोदयः स्यात् । विशेषेण अनुषङ्गप्राप्तवीतरागगुणाधिक्यपरिज्ञानेनादिकर्मणां प्रथममेवारब्धस्थूलधर्माचाराणाम् । ते ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताविशेषमजानाना विशेषवृत्तेरद्यापि न योग्याः, किं तु सामान्यरूपाया પતિ || 31 એ સર્વદેવોની પૂજા કરનારો છે. અને એનો એક જ દેવનો આશ્રય પણ અર્થથી સર્વદેવોના આશ્રયરૂપ છે. | ૮ || બધા જ દેવો કાંઈ મુક્તિ આપનારા નથી, તો બધા જ સમાન રીતે નમસ્કરણીય શા માટે ? આવી શંકાનું સમાધાન આપવા કહે છે ગાથાર્થ આદિધાર્મિક જીવોને ચારિસંજીવિનીચાર ન્યાય મુજબ આ રીતે અને પછી શુદ્ધદેવના પરિજ્ઞાનરૂપ વિશેષથી ફળોદય થાય છે. માર્ગપ્રવેશરૂપ ફળોદય થાય છે. ટીકાર્થ : પહેલાં બીજી બત્રીશીના પંદરમા શ્લોકમાં ચારિસંજીવિની ચાર દૃષ્ટાન્ત બતાવ્યું છે. આમ સર્વ દેવોને નમવામાં, આ દૃષ્ટાન્ત મુજબ આનુષંગિક રીતે ઇષ્ટની પ્રાપ્તિ થયે, એ સર્વદેવનમસ્કારના પ્રભાવે જ વિશેષ પ્રકારનો શુભ અધ્યવસાય થવાના કારણે શુદ્ધદેવની ભક્તિ વગેરે સ્વરૂપ માર્ગપ્રવેશાત્મક ફળોદય થાય છે. વિશેષથી અનુષંગપ્રાપ્ત વિતરાગના ગુણાધિક્યનું જ્ઞાન થવાથી. આદિકર્મ શૂલધર્મનું આચરણ જેઓએ નવું નવું જ શરૂ કર્યું છે, તેવા આદિધાર્મિકજીવો. આ જીવો અત્યંત મુગ્ધ હોવાથી કોઈ દેવવિશેષને જાણતા નહીં હોવાના કારણે વિશેષવૃત્તિને હજુ પણ યોગ્ય હોતા નથી, સામાન્યરૂપ વૃત્તિને જ યોગ્ય હોય છે. વિવેચન : ચારિસંજીવિનીચાર દૃષ્ટાન્તમાં, સ્ત્રીએ બળદ બની ગયેલા પતિને વૃક્ષની નીચે રહેલો દરેક ચારો ચરાવ્યો.. બધો ચારો ચરવામાં યોગાનુયોગ સંજીવિની ઔષધિનો ચાર પણ ચરવામાં આવી ગયો, જેના પ્રભાવે એ બળદ પાછો પુરુષ થઈ ગયો. એમ ધર્મના પ્રારંભિક કાળમાં રહેલા આદિધાર્મિક જીવો બધા દેવોને પૂજે છે. બધા દેવોમાં વીતરાગ સર્વજ્ઞ શ્રીઅરિહંત પ્રભુનો પણ સમાવેશ છે જ. એટલે એમનો પણ યોગ થઈ જાય છે. આ કહેવાય ચારિસંજીવિનીચાર દૃષ્ટાન્ન મુજબ અનુષંગથી = યોગાનુયોગ થયેલી ઇષ્ટની પ્રાપ્તિ. અલબતું આદિધાર્મિક જીવ કાંઈ “આ શુદ્ધદેવ છે' એવી એમની વિશેષતા જાણતો નથી. પણ તેમ છતાં અનભિનિવેશપણે સર્વદેવને નમસ્કારનો પ્રભાવ જ એવો હોય છે કે એના કારણે એ જીવને એક વિશેષ પ્રકારનો શુભ અધ્યવસાય જાગે છે, જેથી એ શુદ્ધ દેવની ભક્તિ વગેરે કરે છે. આ ભક્તિ વગેરે જ એના મોક્ષમાર્ગમાં પ્રવેશરૂપ બની જાય છે. અર્થાત્ આ ભક્તિ વગેરે દ્વારા એ મોક્ષમાર્ગમાં પ્રવેશ પામે છે. આ સામાન્યરૂપે થાય છે, માટે સામાન્ય ફળોદય છે. અને જો યોગાનુયોગ પ્રાપ્ત થયેલા આ વીતરાગપ્રભુમાં અન્ય દેવોની અપેક્ષાએ
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy