________________
३३३
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ क्रियते ? मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्यानर्थक्यमित्यत आह
न चैवं मोक्षशास्त्रस्य वैयर्थ्यं प्रकृतेर्यतः । ततो दुःखनिवृत्त्यर्थं कर्तृत्वस्मयवर्जनम् ।। २०।।
न चेति । न चैवं-मुक्तौ प्रकृतेरेव सामर्थ्य मोक्षशास्त्रस्य वैयर्थं आनर्थक्यं, यतः= यस्मात् तत: मोक्षशास्त्राद् दुःखनिवृत्त्यर्थं दुःखनाशाय प्रकृतेः प्रधानस्य कर्तृत्वस्मयस्य= कर्तृत्वाभिमानस्य वर्जनं निवृत्तिर्भवति (=कर्तृत्वस्मयवर्जन) । अनादिरेव हि प्रकृति-पुरुषयोर्भोक्तृ-भोग्यभावलक्षणः सम्बन्धः ।
ઉત્પન્ન થાય છે. સાત્ત્વિક-રાજસ ઉભયાત્મક અહંકાર મનને પેદા કરે છે અને તામસું અહંકાર પાંચ તન્માત્રાને ઉત્પન્ન કરે છે. શબ્દાદિ પાંચ તન્માત્રામાંથી પૃથ્વી વગેરે પાંચ મહાભૂત પેદા થાય છે. આમ પ્રકૃતિના બહિર્મુખવ્યાપારથી મહત્તત્ત્વથી લઈને પાંચમહાભૂત સુધી કાર્ય પ્રગટવું એ પ્રકૃતિનો અનુલોમ પરિણામ છે. પ્રકૃતિ પોતાનો આ અધિકાર જ્યારે પાછો ખેંચવા માંડે છે, ત્યારે પ્રતિલોમ પરિણામ સક્રિય બને છે. એટલે પાંચ મહાભૂતવગેરે ક્રમશઃ પાંચ તન્માત્રા વગેરે રૂપ પોતપોતાના કારણમાં પ્રવેશ કરવા દ્વારા અસ્મિતા સુધી લય પામે છે. પ્રકૃતિનો આ અન્તર્મુખ પરિણામ એ પ્રતિલોમ પરિણામ કહેવાય છે. મહાભૂત વગેરે લય પામવા પર અવિદ્યાનો પણ સ્વકારણભૂત અંતઃકરણમાં લય થઈ જાય છે. પછી અહંકાર પણ અંતઃકરણમાં લીન થઈ જાય છે. અને છેવટે અંતઃકરણ (ચિત્ત) નિર્વિકારી બની પ્રકૃતિમાં લીન બની જાય છે. દ્રષ્ટા પુરુષનું સ્વસ્વરૂપમાં અવસ્થાન થાય છે. પુરુષનો આ જ મોક્ષ છે. પુરુષને ભોગ કરાવવો એ પ્રકૃતિનું કર્તવ્ય હતું.. એમ પુરુષનો મોક્ષ કરાવવો એ પણ પ્રકૃતિનું કર્તવ્ય હતું. આ બંને કર્તવ્યો પૂરા થતાં હવે પ્રકૃતિ એ પુરુષ પ્રત્યે કૃતકૃત્ય થઈ જાય છે. હવેથી પ્રકૃતિ ફરીથી ક્યારેય પણ એ પુરુષ પ્રત્યે પોતાની અનુલોમ-પ્રતિલોમશક્તિને સક્રિય કરતી નથી. એટલે હવે પછી પુરુષનું શાશ્વતકાળ માટે ચિન્માત્ર સ્વરૂપમાં અવસ્થાન થાય છે. આમ પ્રકૃતિની બે સાહજિક શક્તિઓ, પ્રથમ અનુલોમશક્તિની સક્રિયતાના કારણે પાંચ મહાભૂત સુધીનો પ્રપંચ અને પુરુષના ભોગનું સંપાદન. એ પ્રયોજન પૂર્ણ થવા પર અનુલોમશક્તિની ક્ષીણતા. વિવેકખ્યાતિ થવા પર પ્રતિલોમશક્તિની સક્રિયતા .. યોગસાધના દ્વારા પુરુષના મોક્ષ પ્રયોજનનું સંપાદન થવા પર પ્રતિલોમશક્તિની ક્ષીણતા=પ્રકૃતિની કૃતાર્થતા. આવી પ્રક્રિયા હોવાથી, જડ એવી પ્રકૃતિને પુરુષપ્રયોજનકર્તવ્યતાનો અધ્યવસાય ન હોવા છતાં કોઈ વાંધો આવતો નથી. ૧૧-૧૯ //
અવતરણિકાર્થ : શંકા : પ્રધાનમાં પ્રકૃતિમાં પ્રતિલોમશક્તિ પણ જો સાહજિક છે, તો મોક્ષ એનાથી જ થઈ જવાનો. યોગીઓએ સ્વયં કશું કરવાનું રહે જ નહીં. તો પછી યોગીઓ મોક્ષ માટે પુરુષાર્થ શા માટે કરે છે? વળી આ રીતે મોક્ષ અનર્થનીય બનવાથી પુરુષાર્થનો વિષય ન રહેવાથી એના ઉપદેશક શાસ્ત્રો વ્યર્થ બની જશે. આવી શંકાના સમાધાન માટે પાતંજલવિદ્વાનો કહે છે -
ગાથાર્થ: “આ રીતે પ્રકૃતિની પ્રતિલોમશક્તિથી જ મોક્ષ થઈ જતો હોય, તો મોક્ષશાસ્ત્ર વ્યર્થ થઈ જશે એમ નહીં કહેવું, કારણ કે તેનાથી=મોક્ષશાસ્ત્રથી દુ:ખનાશ માટે પ્રકૃતિના કર્તુત્વઅભિમાનનું વર્જન થાય છે.
ટીકાર્થ : “આમ મોક્ષઅંગેનું સામર્થ્ય પ્રકૃતિમાં જ હોય તો મોક્ષશાસ્ત્ર વ્યર્થ બની જશે” એવી શંકા નહીં કરવી, કારણ કે તે મોક્ષશાસ્ત્રથી દુઃખનાશ માટે પ્રકૃતિના=પ્રધાનના કર્તુત્વસ્મયનું= કર્તુત્વાભિમાનનું વર્જન=નિવૃત્તિ