________________
देशना-द्वात्रिंशिका देशनाभेदो न युक्तः, राजरङ्कयोरेकरूपेणैव देशनाविधानात् । तथा चाचारसूत्रं- 'जहा पुण्णस्स कत्थई तहा तुच्छस्स कत्थई, जहा तुच्छस्स कत्थई तहा पुण्णस्स कत्थई [आचारांग सू. १०२] त्ति । सूत्रोल्लंघनं च महतेऽनर्थाय-इत्याशझ्याहकोऽयं पुरुष इत्यादिवचनादत एव च। पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ।।४।।
कोऽयमिति । अत एव च = विपर्यये दोषादेव च 'कोऽयं पुरुषः?' इत्यादिवचनात् नन्द्यावश्यकादौ કે તે વાતોને જાણવા માટે પ્રયત્ન પણ ન કરતાં વક્તા માટે. જે વક્તા દેશ-કાલ વગેરે તેમજ શ્રોતા પુરુષની કક્ષા વગેરેને જાણી લે છે, અને વળી તે શ્રોતાઓ પરની ઉપકારબુદ્ધિ તો એમની અક્ષત જ છે તો પછી એ વક્તા તે બાળ પુરુષાદિને જે રીતે ઉપકાર થાય એ રીતે જ બોલવાના છે, એટલે કે તેઓ બાળાદિને અનુસરીને જ બોલવાના છે, તેથી એવા વક્તાને તો એકાન્ત લાભ શા માટે ન થાય? આમ એની દેશનામાં પણ બાળાદિને અનુસરવાનું વિધાન જળવાઇ રહેલું જ હોય છે.
શંકા – તેમ છતાં, શ્રોતા પુરુષ વગેરેના ભેદે જુદી જુદી દેશના કહેવી એ યોગ્ય નથી, કારણકે શ્રોતા ગમે તે હોય – રાજા હોય યા રંક હોય, તો પણ બન્નેને સમાનરૂપે દેશના આપવાનું શાસ્ત્રમાં વિધાન છે. આચારાંગ (સૂ. ૧૦૧)માં કહ્યું છે કે “જે રીતે પુણ્યશાળી રાજા વગેરેને ધર્મ કહેવાય છે તે જ રીતે તુચ્છ-ગરીબ વગેરેને પણ ધર્મ કહેવાય છે. જે રીતે તુચ્છને ધર્મ કહેવાય છે તે રીતે પુણ્યશાળીને કહેવાય છે. આ રીતે આચારાંગસૂત્રમાં શ્રોતાનો ભેદ હોય તો પણ સમાન દેશના દેવાનું કહ્યું છે, તેથી, દેશનાભેદ કરવો એમાં સૂત્રનું ઉલ્લંઘન છે જે મોટું અનર્થ કરે છે. માટે શ્રોતાભેદે દેશનાદ કરવો એ યોગ્ય નથી.
આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છેદેશના દેવામાં વિપર્યય કરવામાં દોષ લાગે છે. તેથી, આચારાંગમાં ઉક્તસૂત્રના પછીના જ સૂત્રમાં આ(શ્રોતા) કોણ પુરુષ છે?' એવું જે કહ્યું છે તેનાથી તેમજ નન્દીસૂત્ર, આવશ્યક વગેરેમાં પર્ષદ્રનો વિવેક કરવાનું જે કહ્યું છે તેનાથી જણાય છે કે દેશ વગેરેની તેમજ પુરુષ વગેરેની જાણકારી ન પામેલા મન્દ વક્તાનો અપસિદ્ધાન્ત થઇ જવા રૂપ નિગ્રહ થાય છે એ વાત સ્પષ્ટ છે. જો દેશ-પુરુષ વગેરેની જાણકારી વગર પણ બોલનારને અપસિદ્ધાન્ત થઇ જવાનો પ્રશ્ન ન હોત તો શાસ્ત્રોમાં તેવું વિધાન પણ ન કરત.] આશય એ છે કે આચારાંગનું ‘જહા પુણસ્સ...' ઇત્યાદિ સૂત્ર તો “સાધુએ ધર્મદેશના નિસ્પૃહપણે આપવી' એવું વ્યક્ત કરવા માટે છે. રાજા વગેરેને ધર્મોપદેશ આદરપૂર્વક આપે જેથી વસ્ત્ર-પાત્રાદિ પ્રાપ્ત થાય, તુચ્છ પાસેથી શું મળવાનું છે? એમ વિચારી એને ધર્મોપદેશ ન આપે-અથવા ઉપેક્ષાથી આપે.... આવું ન થાય એ માટે પૂર્વાર્ધ છે. જેમ તુચ્છને ધર્મોપદેશ દેતી વખતે એની પાસેથી બદલામાં કાંઇ પ્રાપ્ત કરવાની સ્પૃહા હોતી નથી તેમ રાજા વગેરેને ધર્મોપદેશ દેતી વખતે પણ નિસ્પૃહ રહેવું એવું જણાવવા માટે ઉત્તરાર્ધ છે.] રાજાદિના (એ કોનો ભક્ત છે? એ ભદ્રક પરિણામી છે કે રૌદ્ર પરિણામી? ઇત્યાદિ) અભિપ્રાયને અનુસરીને એ મુજબ દેશના દેવામાં ન આવે તો શું શું દોષ થાય એનું સ્પષ્ટ પ્રરૂપણ કરીને એ પછી ત્યાં જ (આચારાંગના એ અધિકારમાં જ) શ્રોતા પુરુષ વગેરેના તેમજ દેશ વગેરેના જાણકારને જ દેશનાનો અધિકાર છે એવું જે વ્યક્ત કર્યું છે તેનાથી જણાય છે કે ઉપરનું સૂત્ર તો સાધુની નિરીહતા વ્યક્ત કરવા માટે જ છે. [આ વાતનો વૃત્તિકાર ભગવંત શ્રી શીલાંકાચાર્યે
१ यथा पुण्यस्य कथ्यते तथा तुच्छस्य कथ्यते, यथा तुच्छस्य कथ्यते तथा पुण्यस्य कथ्यते।