SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા. વિગેરે સર્વેને જ્યારે એકજ મતિ સૂજી, તો પછી મારા જેવા અનાથને કોનું શરણ રહ્યું કહ્યું છે કે – " माता यदि विषं दद्यात्, पिता विक्रयते सुतम् । राजा हरति सर्वस्वं, का तत्र परिवेदना" ॥१॥ - “માતા પિતે જ્યારે પુત્રને વિષ દે અને પિતા તેને વિકય કરે તથા રાજા સર્વસ્વ લુંટી લે, ત્યાં અપશેષશે કરે?” એટલા માટે જ હે વસુધાપતિ! અત્યારે સર્વના ઉપકારને માટે ધીરતાપૂર્વક મારે મરણને શરણ લેવું એજ શ્રેયસ્કર છે. વળી હે દેવ! દરિદ્રતાનું સીલ તોડીને કલ્પવૃક્ષ જેવી પ્રસન્નતાથી નિદાનરહિત સમગ્ર ભૂલને દાન આપતાં જેણે દયાની લાગણપૂર્વક શંખચૂડ બ્રાહ્મણની ગરૂડથકી રક્ષા કરવાને પોતાના પ્રિય પ્રાણે પણ કુરબાન કર્યા એવા ત્રિલોકશિરોમણી શ્રીજીમૂત રાજાનું સર્વને આશ્ચર્યકારક ચરિત્ર તમારા સાંભળવામાં નથી આવ્યું શું? હે સ્વામિન્ ! મારે તે રાજા સહિત સમગ્ર લોકના ઉપકારને માટે અત્યારે જીવિત અર્પવાનું છે. માટે હે ભૂપ! મારું હૃદય મહાનંદથી છલકાઈ જાય છે. કારણ કે કલિકાલમાં એ યોગ માણસ પુણ્યથી જ પામી શકે છે.” આ પ્રમાણે પ્રશસ્ત મનવાળા એવા તેનું વચન સાંભળીને કૃપારૂપ કલ્પલતાથી આવૃત થઈને વસુધાધીશ :–“હે પ્રજાજ ! જેને માટે જે આવું દુઃખદાયક પાપ જે કરવામાં આવતું હોય, તે તેવી પ્રતેલી કે નગરનું મારે પ્રજન નથી. આ પવિત્ર ધરાપીઠપર નવું નગર રચાવીશ. પણ સર્વજ્ઞ મતથી વાસિત થઈને હવે હું પ્રાણવધ તે કદી કરવાનેજ નથી. સમ્ય તત્ત્વને પ્રકાશ કરનારૂં એવું જિનવચન જાણતાં પણ જે કુમાગે ગમન કરે. તે પ્રાણી વસ્તુતાએ અંધજ છે.” આ પ્રમાણે રાજાની ધર્મદઢતા અને વિપ્રસુતનું પરમ સત્ત્વ જોઈને તે વખતે નગરદેવતા પ્રસન્નતાપૂર્વક પ્રત્યક્ષ થઈ, અને દિવ્યરૂપવાળી એવી તે સર્વ સભા સમક્ષ આ પ્રમાણે કહે વા લાગી:–“હે મહીનાથ ! તું ધન્ય છે અને તારાથી આ જગતું
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy