SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૩ આનંદપૂર્વક દુરિતના ધ્વંસ કરનારા એવા તે મુનિપુંગવને નમસ્કાર કર્યો, એટલે ધર્મ લાલરૂપ આશીષ મેળવીને મુદ્રિત મુખવાળા એવા તે અંજિલ જોડીને અને હૃદયને પ્રફુલ્રિત કરીને ત્યાં બેઠા. એવામાં મુનિનું આગમન સાંભળીને સુધી ( ચતુર ) રાાએ પણ લેાકા સહિત ત્યાં આવીને વિધિપૂર્વક તેમને વંદના કરી. એટલે મુનિએ સંસારરૂપ જંગલમાં ભ્રમણ કરવાના તાપભરને દૂર કરવાવાળી અને સાક્ષાત્ દ્રાક્ષારસ સમાન એવી ધર્મ દેશના આપવાને પ્રારંભ કર્યો:— સંસારરૂપ અપાર અટવીમાં ભ્રમણ કરતાં અભીષ્ટ સિદ્ધિને આપનાર જિનધર્મ રૂપ કલ્પવૃક્ષ પ્રાણીઓને ભાગ્યયેાગેજ પ્રાપ્ત થઇ શકે છે. શ્રીસ જ્ઞકથિત ધર્મીમાં જેનું મન દઢ હાય, તેને દેવતાએ પણ સર્વાંદા સહાય કરે છે. તે ધરૂપ કલ્પવૃક્ષનું મૂળ સમ્યકત્વ છે અને તે જીવાજીવાદિ તત્ત્વાના શ્રદ્ધાનરૂપ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, મધ અને મેાક્ષ, જિનશાસનમાં એ નવ તત્ત્વા કહેલા છે. તેમાં મુક્ત અને સંસારી એમ એ પ્રકારના જીવ કહ્યા છે. અને તેમાં તીર્થસિદ્ધાદિ ભેદથી મુક્ત જીવા પદર પ્રકારના કહેવાય છે. સ્થાવર અને ત્રસ એ એ ભેદે સંસારી જીવેા અને તેમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચ ભેદ સ્થાવરના છે. વળી તે પાંચે ભેદ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના હોય છે. તેમાં સૂક્ષ્મ ત્રણે લેાકમાં વ્યાપીને રહેલા છે અને માદર લેાકના એક ભાગમાં રહેલા છે. પ્રત્યેક અને સાધારણ એમ વનસ્પતિકાયના બે ભેદ છે. બેઈદ્રિય, તેઋદ્રિય, ચરિદ્રિય અને પચેંદ્રિય એ મુખ્ય ચાર ભેદ ત્રસ જીવાના છે. તેમાં સની અને અસજ્ઞી એ પચેદ્રિયના બે ભેદ છે. તેમાં મન:પ્રાણને પ્રવર્તાવી શિક્ષાપદેશની ચેષ્ટાને જાણે છે, તે સ ંજ્ઞી ગણાય છે અને તેમનાથી વિપરીત તે અસંજ્ઞી કહેવાય છે. આ બધા જીવા પર્યાપ્ત અને અપચોસ એમ બે પ્રકારે છે. જીવને પર્યાપ્તપણામાં લાવનાર એવી પર્યામિના આ પ્રમાણે છ ભેદ છે:-આહાર, શરીર, ઇંદ્રિય, પ્રાણ, (શ્વાસ) '
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy