________________
४२२ ગાથા-૭૪ - પૌષધનું ફળ સોળસપ્તતિઃ पाध्यायविनिर्मितस्वोपज्ञपौषधषड्विंशिकावृत्तिविलोकनीया । तत्र सव्यासं पौषधमाश्रित्याक्षेपपरिहाराख्यानात् ।
[अत्र पौषधव्रतस्य पर्वमात्रकर्त्तव्यतामुद्दिश्य दर्शितानां सर्वेषां पाठानां भवदिष्टोऽर्थो यद्यपि स्थूलधियामापाततः प्रतिभाति तथापि उभयसम्मताचार्यप्रणीतशास्त्रैरेकवाक्यतायां सधुक्तिगवेषणायां च प्रतिभावतां सोऽर्थो विरुद्ध एव भासते, तथाहिपूर्वधरश्रीमदुमास्वातिवाचकप्रणीततत्त्वार्थभाष्यस्थस्य-"सोऽष्टमी चतुर्दशी पञ्चदशीमन्यतमा वा तिथिमभिगृह्य" इति पाठस्य
– સંબોધોપનિષદ્ – પાધ્યાયવિનિર્મિત સ્વોપજ્ઞ પૌષધ ષત્રિશિકાવૃત્તિ જોવી. કારણ કે તેમાં પૌષધને આશ્રીને સવિસ્તર આક્ષેપ-પરિહાર કહ્યા છે.
[અહીં તમે “પૌષધ માત્ર પર્વદિનોમાં જ કરાય' એ સિદ્ધ કરવાનાં ઉદ્દેશથી જે સર્વ શાસ્ત્રપાઠો દર્શાવ્યા છે, તે સર્વ પાઠોનો અર્થ સ્થૂળબુદ્ધિવાળા જીવોને ઉપલી દષ્ટિએ ભલે તમને ઈષ્ટ છે તે જ અર્થ જણાતો હોય, પણ જે આચાર્યો તમને-અમને બંનેને સમ્મત છે, તેમણે રચેલા શાસ્ત્રો સાથે એકવાક્યતાનો વિચાર કરીએ અને સમ્યફ યુક્તિની અન્વેષણા કરીએ તો બુદ્ધિમાનોને તે અર્થ ગ્રંથકારોના તાત્પર્યથી વિરુદ્ધ જ લાગે છે. તે આ પ્રમાણે -
પૂર્વધર શ્રીઉમાસ્વાતિવાચક રચિત તત્ત્વાર્થભાષ્યમાં એક પાઠ છે – “તે આઠમ, ચૌદશ, પૂનમ કે અન્ય તિથિ જાણીને