SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् દશવિધ, ધર્મની સાધના, સાધે શુદ્ધ સ્વરૂપ; ગુણ શ્રેણિ નિકટ રહ્યા, તે મુનિ આત્મસ્વરૂપ. ૯૧ સાંકળ સમ જોડાઈને, રહે સાથે દશધર્મ; તૂટે તો તૂટે નહીં, ન તૂટે તૂટે કર્મ. ૯૨ દશે દિશા દૂરે ટળે, દશ સંજ્ઞા થાએ દૂર; દશવિધ ધર્મને સેવંતાં, દશરુચિ રુચે સબૂર. ૯૩ ધર્મ ઘણા છે વિશ્વમાં, પણ દશધર્મ સુધર્મ; અન્ય ધર્મ ભજના ભજે, જિમ જગ વિષયે શર્મ. ૯૪ દશની સંખ્યા પૂર્ણ છે, ધર્મ દશેદશ પૂર્ણ; દશ ધર્મ સાથે જે મુનિ (તે) તરે ભવસાયર સૂર્ણ. ૯૫ કૃત્રિમ ધર્મ નિ:સત્ત્વ છે, સત્ત્વશીલ દશ ધર્મ અવકેશી તસ ના ફળ, ફળે સુર તરુ વર શર્મ. ૯૬ દશ ધર્મ જાણ્યા જેહથી, તે નેમિસૂરિરાય; તપાગચ્છમાં સૂર્યશા, પૂર્ણ પ્રતાપ સુહાય. ૯૭ તસ પટે કાનન કલ્પશા, વિજયામૃતસૂરીશ; પિયૂષપાણિ દીપતા, શાસ્ત્ર સમર્થ કવીશ. ૯૮ વિનેય તસ વિનયે વડા, પુણ્ય વિજય પંન્યાસ; સત્ત્વપૂર્ણ ધર્મે શૂરા, તસ સૌરભ વરવાસ. ૯૯ તસ શિશુ ધર્મધુરંધરે, રચ્યું શતક સુખકાર; મુનિ દશ ધર્મને પામવા, ધર્મે જયજયકાર. ૧૦૦
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy