________________
श्रामण्योपनिषद्
|| મંગલમ્ |
ઐન્દ્ર = આત્માની આ પરમ જ્યોતિને હું નમન કરું છું કે જે દશવિધ શ્રમણધર્મની પ્રાપ્તિથી પ્રગટી છે. જે જ્યોતિનો ઉદય થતાં અંધકારો તો કદી નથી જ રહેતા, પ્રકાશો પણ નથી રહેતા (પ્રકાશો પણ ઝાંખા પડી જાય છે.)
| ક્ષમા //
જેઓ જગતમાં સહનશીલ મુમુક્ષુઓના પ્રથમ ઉદાહરણ છે, એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧/l.
તે મારો ઉપકારી છે કે થશે) માટે મારે સહન કરવું જોઈએ, આ ક્ષમાનો પ્રથમ ભેદ દેખાડ્યો છે, જે કૃતજ્ઞ વગેરે આત્માઓમાં હોય છે. રા
જો હું સહન નહીં કરું, તો આ મારા પર અપકાર કરશે. માટે મારે સહન કરવું જોઈએ. આ ક્ષમાનો બીજો પ્રકાર છે. જે દુ:ખભીરુ જીવોમાં સુલભ છે. તેવી