SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિશાળી હોય એ લાભને ઇચ્છે કે નુકશાનને ? સન્માનથી તો સાધકને નુકશાન છે. નારદપરિવ્રાજક ઉપનિષમાં કહ્યું છે सन्माननं परां हानिं योगः कुरुते यतः । जनेनावमतो योगी योगसिद्धिं च विन्दति ॥ ५-५५॥ સન્માન તો યોગ સમૃદ્ધિની અત્યંત હાનિ કરે છે. જેની લોકો અવગણના કરે, તે તે પરમ સિદ્ધિ પામે છે. सुखमवमतः शेते सुखं च प्रतिबुध्यते । सुखं चरति लोकेऽस्मिन् अवमन्ता विनश्यति ॥ (નારવપરિ૰ રૂ-૪૧) જેની અવગણના થાય એ મજેથી સૂઈ જાય છે અને મજેથી જાગે છે. મજેથી દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જાય છે. (આ વચનથી કોઈ એમ ન સમજીલે કે તો મહાત્માની અવગણના જ કરવી જોઇએ માટે આગળ કહે છે કે) નુક્શાન તો તેને છે કે જે મહાત્માની અવગણના કરે છે. ભક્તો છે તો તેમને સાચવવાની ભૂતાવળ છે. ભીડ છે તો તે જતી ન રહે એનો ભય છે. અને આ ભૂતાવળ અને ભયમાં સાધના અને સુખ બંનેનું બારમુ થઈ જાય છે. કહેનારાઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે तथा चरेत वै योगी सतां धर्ममदूषयन् । जना यथावमन्येरन् गच्छेयुर्नैव सङ्गतिम् ॥ યોગી સદ્ધર્મને દૂષણ ન લાગે એટલી કાળજી રાખી લે. એ સિવાય તે એવી રીતે આચરણ કરે કે જેનાથી લોકો એની અવજ્ઞા કરે અને તેની સંગત કરવાનું નામ પણ ન લે. ( ૭૪ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy