SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ પણ જે જીવ તન્મય થઈને પ્રવ્રજ્યાનું પાલન કરે એ કદાચ મોક્ષ ન પામે, તો ય અવશ્ય વૈમાનિક દેવ થાય છે. એક દિવસના સંયમજીવનની પણ એ તાકાત છે કે નરકના દુઃખોથી મુક્ત કરી દે, તિર્યંચની કાળી યાતનાઓથી છૂટકારો અપાવી દે અને દેવલોકના, તેમાં ય વૈમાનિકના શ્રેષ્ઠ સુખો ધરી દે. ઉપદેશમાલાકારે એક રેશિઓ કાઢ્યો છે. नरएसु सुरवरेसु य जो बंघइ सागरोवमं इक्कं। પત્નિોવા વંધોરિપદ સાબિતિવસે ૨૭૪ નરકમાં અને દેવોમાં જે એક સાગરોપમનું આયુષ્ય બાંધે એ એક દિવસમાં હજારો કરોડ પલ્યોપમોનું આયુષ્ય બાંધે છે. કેવો છે આરાધનાનો એક-એક દિવસ ! આ જાણીને ધર્મમાં પ્રમાદ શી રીતે કરી શકાય ? તેની સાથે સાથે જ વિરાધનાનો રેશિયો પણ જોઈ લો. પ્રતિદિન હજારો કરોડ પલ્યોપમનું નરકાયુષ્ય. વિચાર કરીએ તો ચક્કર આવી જાય, તેવી આ વાત છે. સ્થૂળદષ્ટિએ એક સેકંડનો સોમો ભાગ કોઈ પ્રમાદ કરે અને કરોડ વર્ષની નરકની સજા થાય, તો પ્રમાદ કેટલો ભયંકર કહેવાય! સાવ થોડા પ્રમાદનું કેટલું દારુણ ફળ કહેવાય. વાસ્તવમાં તો આ રેશિઓ પણ નથી. સંખ્યાતા વર્ષનો પ્રમાદ અત્યંત ઓછો છે અને અસંખ્ય વર્ષની નરક ખૂબ ખૂબ ખૂબ દીર્ઘકાલીન ભયાનક પરિણામ છે. એ જ રીતે કોઈ એક સેકંડના સોમા ભાગનો સમય સાધના કરે અને એને તેના ફળરૂપે એક કરોડ વર્ષનું દેવાયુષ્ય મળે, તો સાધના કેટલી ઓછી ! અને ફળ કેટલું વિરાટ. વાસ્તવમાં તો આ રેશિયો પણ સ્થૂળદષ્ટિએ કહ્યો છે. સંખ્યાતા વર્ષની સાધનાનો સમય અત્યંત અલ્પ છે. અને અસંખ્ય (૧૬૦)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy