SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદથી પોતે ભણ્યા ન હોય. અને ઈર્ષ્યાથી બીજા ભણે એ જોવાતું ન હોય. બીજાનો સ્વાધ્યાય, બીજાની વ્યાખ્યાનસભા, બીજા દ્વારા થતી અંજનશલાકા-પ્રતિષ્ઠા ઇત્યાદિ જો તારાથી સહન ન થતું હોય, તો સમજી લે કે તું તારા ગળામાં મોટો પત્થર બાંધી રહ્યો છે. તારી પાસે પાત્રતા જ નથી, તો ઐશ્વર્ય આવે ક્યાંથી ? તારું પુણ્ય જ નથી તો તારી આદેયતા ક્યાંથી થાય? તને જે જોઈએ છે એ મેળવવા ય તને પુણ્યની આવશ્યક્તા છે, અને તું પુણ્ય ભેગુ કરવાને બદલે બીજાની ઈર્ષ્યા કરીને પાપ બાંધી રહ્યો છે. હાથે કરીને પગ પર કુહાડો મારીને પછી દુઃખના રોદણા રોવા, એ તારી કેવી મૂર્ખતા ! બીજાની ઈર્ષ્યા કરી કરીને બળી મરવા કરતા તું ય સાધના કરવા લાગી જા ને ? બીજાની લીટી નાની કરીને તારી લીટી મોટી દેખાડવાનો અધમ પ્રયત્ન કરવા કરતાં જેની ઈર્ષ્યા કરે છે, એનું જ આલંબન લઈને તારી લીટી મોટી કરવાનો પ્રયત્ન જ કર ને ? જે પ્રમોદનો વિષય છે એને તું મત્સરનો વિષય કેમ બનાવે છે ? મહાત્મા આગળ વધે છે, તો તું આનંદ પામ. એમની પદવી થઈ રહી છે, તો તું હદયથી અભિનંદન આપ. એમની સોમી ઓળીનું પારણુ ધામ-ધૂમથી થઈ રહ્યું છે, તો બે અણુ પાડ. એક એમની સાધનાની પૂર્ણાહુતિથી હર્ષના અને બીજા તારી નિસત્ત્વતાથી અને બાવો બેઠો, વૃત્તિથી શોકના. ધન્ય છે એ મહાત્માઓ જેઓ સાધનાના શિખરોને સર કરી રહ્યા છે, ધન્ય છે એ આત્માઓને જેઓ પૂર્વકૃત સુકૃતના ફળોને ભોગવી રહ્યા છે. આ રીતે એમની અનુમોદના જ કર ને ? એનાથી તું ઈર્ષ્યાજનિત નુકશાનથી તો બચી જ જઈશ, અનુમોદનાજનિત લાભ પણ પામી જઈશ. ઉપદેશમાલાકારે ઈષ્યવૃત્તિ પર આકરા પ્રહારો કરતાં કહ્યું છે (૧૩૨)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy