SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા ઉર્વશીમાં લુબ્ધ દુર્વાસઋષિએ દ્વારિકાને બાળી અને વિષ્ણુ અને લક્ષ્મીને રથમાં જોડ્યા હતા ઈત્યાદિ કેટલું કહેવા માટે શક્ય છે. ? અથવા કેટલું કહેવાય. શૈવ મુખને (શાસ્ત્રને) માટે તીક્ષ્ણ વજાની સુઈ સમાન, બ્રિાહ્મણના મુખને લપડાક સમાન, સન્દ સમુચ્ચય ધર્મ પરીક્ષા વિ. ગ્રંથો જોવા જેવા છે. કેટલાક અભવ્ય, તિર્યંચ, મનુષ્યો પણ દ્રવ્યથી દેશવિરતિને પાળતા હોવા છતાં (પાળનારા) પણ અવિરતિની પંક્તિમાં છે. કામ સુખ વિ. ને માટે જ દેશવિરતિ અને સર્વ વિરતિનું પણ પાલન કરતા હોવાથી અવિરતિની પંક્તિમાં છે. ક્રોધથી ધમધમતા પણાથી નારકીઓ પણ વૈક્રિય શક્તિ વડે વિમુર્વેલા શસ્ત્ર વજુ જેવા તીક્ષ્ણ મુખવાળા કીડા વિ. વડે પરસ્પર મહા વેદનાને ઉત્પન્ન કરતા અવિરતની જ પંક્તિમાં આવે છે. એ પ્રમાણે ચરાચર જીવો વડે ત્રણ જગત અવિરતિની પંક્તિથી વ્યાપ્ત છે. હવે મિથ્યાત્વથી વિરતની (અટકેલાની) બીજી પંક્તિ છે. અને તે પંક્તિમાં શ્રેણિક વિ. ચક્રવર્તિ, વાસુદેવ, અને પ્રતિવાસુદેવ વિ. કેટલાક મનુષ્યો છે અસંખ્યાત ભાગે દેવો અને નારકીઓ મિથ્યાત્વથી અટકેલા છે. અને તિર્યંચોનો અનંતતમ ભાગ છે. એ પ્રમાણે પૂર્વ પંક્તિથી અનંતતમ ભાગ જીવરૂપ આ બીજી પંક્તિ થઈ અને આ પંક્તિમાં સમ્યક્તની વિવક્ષા ન કરવામાં આવે તો અવિરતની પંક્તિમાં જ ગણાય અને ત્રણે પંક્તિઓ સમ્યત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ ગણવા યોગ્ય છે. તેનો પણ અસંખ્યાતતમ ભાગ વિરતાવિરત નામે દેશવિરતિ જીવવાળી ત્રીજી પંક્તિ છે અને તેમાં પણ કેટલાક મનુષ્યો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના અસંખ્યાતમા ભાગે અને તિર્યંચો અસંખ્યાતા છે. મરૂભૂતિનો જીવ હાથી વિ. ની જેમ જાતિસ્મરણ વિ. વડે શ્રાધ્ધ (શ્રાવક) ધર્મને પામ્યો. બીજા નહિ, બધા ભેગા થઈને સમ્યક્ત, દેશ વિરતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણ છે આ પ્રમાણેના વચનથી પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે આ પ્રમાણેના વચનથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા સમયની રાશિ છે. તેટલા પ્રમાણવાળા છે. તેનો પણ અસંખ્યાતમો ભાગ સર્વવિરતિ મનુષ્યવાળી ચોથી પંક્તિ છે ઉત્કૃષ્ટથી પણ ૨ થી ૯ હજાર કોડ પ્રમાણવાળા | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 350.અ.અંશ-૧,તરંગ-પી કકકકકકકક કકક- - : : : : : : ન ::::::::::::::::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy