________________
પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૧)
શ્લોકાર્થ - જ્યરૂપ લક્ષ્મી માટેનું મંગલ સ્થાન, વિપ્ન વિનાનો સકલ સુખનો દરિયો એવા જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મને શુધ્ધભાવ વડે સેવો.
યતઃ - અકર્મ ભૂમિમાં લ્પતરુથી ઉત્પન્ન થયેલા નિધિ, રત્ન વિ. મનવાંછિત સુખ જેમ દેવો, ચક્રવર્તિ, વાસુદેવ આદિ ભોગવે છે. તેમ ધર્મ સુખને આપનારો છે.
મમ્મત્તિ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો એટલે કે દેવગુરુ, ઉત્તરકુર આદિ ૩૦ (ત્રીસ) ક્ષેત્રમાં જન્મેલા અને ઉપલક્ષણથી પ૬ અન્ત ર્કિંપના મનુષ્યો જે રીતે કલ્પતરુથી ઉત્પન્ન થયેલ સુખને ભોગવે છે. તેવી રીતે અંતર્કિંપમાં જેટલા મનુષ્યો છે. તે બધા વજઋષભ સંઘયણવાળા અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. ત્યાં મનુષ્યો અનુકૂળવાયુની ગતિવાળા, સારી રીતે સ્થાપન થયેલા, કાચબા જેવા સુંદર પગવાળા, સુકુમાર ચીકણા, ઘણા થોડા રોમયુક્ત કુરુવિન્દ નામના ઘરેણાની જેમ ગોળાકાર જંગાયુગલવાળા, ગુપ્ત સારી રીતે જોડાયેલા સાંધાવાળા જાનુપ્રદેશવાળા, હાથીની સૂંઢ જેમ ગોળ સાથળવાળા, સિંહની કમ્મર જેવી કમ્મરવાળા વજ (ઈન્દ્રના શસ્ત્ર) સમાન મધ્યભાગવાળા, જમણી બાજુના આવર્તથી યુક્ત નાભિમંડલવાળા, શ્રી વત્સના ચિન્હથી યુક્ત વિશાલ છાતીવાળા, નગરના દરવાજાની ભૂંગળની સમાન દીર્ધહાથવાળા, સારી રીતે જોડાયેલા મણિ બંધવાળા, (કાંડાવાળા) રાતાકમળના પાનનું અનુકરણ કરનાર કોમળ અને લાલપગના તળિયાવાળા, ચાર અંગુલ પ્રમાણ શંખ સરખી ગોળ ડોકવાળા, શરદઋતુના ચંદ્ર સમાન સૌમ્યમુખવાળા, છત્રાકારે માથા પર ખીચોખીચ ભરેલા ચીકણા વાળવાળા, કમષ્ઠલ, કલશ, યુપ, સૂપ, વાપી, ધ્વજપતાકા, સ્વસ્તિક, યવ, મત્સ્ય, મગર, રથ, સાપ શ્રેષ્ઠ કાચબો, થાલી, કપડા, અષ્ટાપદ, અંકુશ, મોર, અભિષેક કરાતી લક્ષ્મી, તોરણ, પથ્વી, જલધિ, શ્રેષ્ઠ ભવન, આરીસો, પર્વત, ગજ, બળદ, સિંહ, ચામર, રૂપ, પ્રશસ્ત ઉત્તમ બત્રીસ લક્ષણને ધરનારા છે.
સ્ત્રીઓ પણ સારી જાતિવાળી, સુંદર સંપૂર્ણ મહિલાના ગુણથી યુક્ત, સારી રીતે ભેગી થતી આંગળીઓવાળી, ભરાવદાર, કમળની જેમ સુકુમાર, | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 160 મિ.અ.અં.૪, તા.-૧
is
:::::::
::::::::::::::::::::::::::
:::::::::::
:::::::::::