SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જલ્દી પિત્તનો ઉપદ્રવ થતાં મૃત્યુ પામ્યો અથવા કોઢ વિ. મહા રોગ ને પામે એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યક્દષ્ટિ અતિ ઉગ્ર કષાય-વિષય આદિને વશ થવાથી થયેલ અશક્તિના કારણે સમય સામગ્રી આદિના અભાવ આદિના કારણે મિથ્યાત્વ, આરંભાદિ દુષ્ટ ક્રિયા વિના પણ અતિ ઉગ્ર રોદ્ર ધ્યાનાદિની પરિણતીથી ઉપાર્જન કરેલા ભારી કર્મોને કારણે સાતમી નરકમાં જાય છે. તંદુલ મત્સ્ય વિ. દૃષ્ટાંતો અહીંયા જાણવા બાલાદિની વિચારણાથી આ ચોથો પાપ ભેદ થયો / એ પ્રમાણે જ કોઈક સારી દૃષ્ટિ વાળા બાલ વિ. એ શેરડીનો સાંઠો ચાવવાની અશક્તિ હોવાથી અથવા પોતાની ઈચ્છા પ્રમાણે ઈશુનો રસ અથવા સાંઠાને માંગ્યો ત્યારે અધિક સ્નેહના કારણે માતાએ આપ્યો અને તેણે તે રસ પીધો તે ચાવવા વિ. ના પ્રયાસ વગર પણ શીધ્રાતિ શિધ્ર સંપૂર્ણ પિત્તના ઉપશમથી અનુપમ શીતલતાના સુખને ભોગવાનારો બને છે. એ પ્રમાણે કોઈક તેવા પ્રકારના ભવ્યાત્મા પૂર્વ ભવમાં કરેલા તપ, અનુષ્ઠાન વિ. વડે ઘણા કર્મોની નિર્જરા કરનારો અથવા કર્મની અલ્પતમ સ્થિતિવાળો સદ્ગુરુએ ઉપદેશેલા ઉપદેશનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલ શુકુલ ધ્યાન રૂપ રસ ઈશુ રસની જેમ પીએ છે. અને તેથી પરૂપ અનુષ્ઠાનાદિમાં પ્રયાસ કર્યા વિના પણ ઘાતિ કર્મરૂપ પિત્તનોનાશ થવાથી કેવળ જ્ઞાનને પામે છે. સર્વ કર્મના ક્ષયથી મુક્તિ પણ પામે છે. દા.ત. મરુદેવા માતા, વસુદેવની સ્ત્રી કનકાવતી, ભરત ચક્રવર્તિ, કુર્માપુત્ર, ઈલાપુત્ર, નાગકેતુ, પૃથ્વીચંદ્ર શ્રી આદિત્યયશાવિ. રાજાઓ ગુણસાર અને તેની પત્નિ વિ. જાણવા. આ પ્રમાણે બાલાદિની વિચારણાથી ચોથો પુણ્યનો ભેદ થયો. એ પ્રમાણે આરંભાદિ પાપ રૂપ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ તથા વિરતિ રૂપ જિનધર્મ ચાર ચાર પ્રકારના કરવાથી અને બન્નેના મેળવવાથી આઠ પ્રકારના થાય છે. તે ચાર પ્રકારે અને આઠ પ્રકારે ફલને આપે છે. એ પ્રમાણે પુણ્ય અને પાપને વિષે ચાર પ્રકારે વિચાર કરીને આગળ આગળ વધતા એક એકમાં પ્રયત્ન પૂર્વક વિચારીને હે બુધ્ધજન ! ગૃહસ્થીઓ એ 8388888888888888 8 8888 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 245) અંશ-૩, તરંગ-૧) ligatusBulgawuuuuuuuuuuuuuuuuuultatistiartitaniuથીfaulanatanilaguniiiiiiiitaa a aaaidu litaniutaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy