SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત થાય છે. અને સુખ ને પામે છે. મનુષ્યમાં અલ્પ ઋધ્ધિ અને દેવ આદિ ગતિ પામે છે. દા.ત. શ્રી ગૌતમ સ્વામિથી પ્રવર્જિત ખેડૂત વિ. સઢ, શ્યામલ વણિક આદિના દૃષ્ટાંતો અહીંયા જાણવા. કેટલાક ધર્મની વિરાધનાથી તીચ ગતિમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ સુલભ બોધિ થાય છે. શ્રીમુનિસુવ્રત સ્વામિથી બોધ પામેલો ઘોડો પૂર્વભવના શ્રેષ્ઠિની જેમ ઈતિ ધર્મનો પ્રથમ ભેદ થયો. આ પ્રમાણે બાલકના દૃષ્ટાંતથી વિચાર્યું. . હવે કોઈક વૃધ્ધ (વયસ્ક) જરા આદિના કારણે અંધ થયેલાને ક્યારેક પિત્તનો ઉપદ્રવ થયો વૈદ્યાદિના વચનોથી તેના ઉપશમન માટે શેરડી ખાવાની ઈચ્છા વાળો એવો તે શેરડીને વહુ પાસે માંગે છે. અને તે વહુ બીજા ઘરથી આવેલી હોવાથી કંટાળેલી તે કાર્ય માટે (શેરડી લાવવા માટે) અશક્ત અને ભક્તિ ન હોવાના કારણે ઉલ્ટે તેને શોધવા માટે આળસુ, ઉદ્વિગ્ન અથવા અવજ્ઞાઆદિ કરવા વડે પાછળ રહેલા ઘરના વરંડામાંથી એરંડાનો એક ટુકડો લાવીને તેને આપ્યો. તેણે તે ચાવ્યો પરંતુ તે ચાવતાં તેનો રસ કડવો લાગ્યો અને કહ્યું કે આ શેરડીનો સાંઠો નથી. એ પ્રમાણે કહેતાં તેણીએ (વહુએ) કહ્યું અહીંયા આવા પ્રકારની જ શેરડી થાય છે. પિત્ત વિ. ના કારણે તમને સ્વાદ ઉલ્ટો (કડવો) લાગે છે તો પણ ચાવતાં પિત્તનો ઉપશમ થશે. તો એ પ્રમાણે પ્રયત્ન પૂર્વક તમે ચાવો તે સાંઠો તેને નહિ દેખાવાથી તેની સાથે અધિક વિચાર વિમર્શ નહિ કરતાં તે વહુના વચન પર શ્રધ્ધાને ધારણ કરતો સર્વ શક્તિ વાપરી તેને ચાવે છે. પરંતુ દાંત. વિ. ન હોવાથી શક્તિના અભાવે થોડું જ ચાવ્યું પછી તેના શરીરમાં રસનું પરિણતપણે અલ્પ થયું એક મનથી ચાવવાથી બાળકના પિત્તથી અધિક્તર પિત્તનો ઉગ ઉપદ્રવ વધી ગયો. એ પ્રમાણે કેટલાક જીવો મિથ્યાત્વપણાથી લેપાયેલા પરંતુ તત્વદૃષ્ટિવાળા ધર્મના અર્થી કુગુરુની પાસે ધર્મને માંગે છે. તે પણ રાગ, દ્વેષ, લોભાદિના કારણે પોતાને માન્ય સ્નાન, યજ્ઞ, કુગુરુ, કુદેવાદિ મિથ્યા ધર્મનું આલંબન eeeeeeeeeeeeeeeaણB828888888aeesaageeeeee anantnanaણાયરસરણશશિરાવિયયસાયર સBaaaaaaaaaaaaaaaa22aashaaaaaaaaaaaaaaaaaaaaaaaaaan I નાક ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 240 અંશ-૩, તરંગ-૧] RE: SEE
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy