SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈને દેવબોધિ બોલ્યો તે રાજન્ ! તારૂ આવા પ્રકારનું પૂજન આદિ યોગ્ય નથી. કારણ કે વેદ અને સ્મૃતિના મૂલથી રહિત હોવાથી જિનધર્મ ઉત્તમ નથી વળી કુલ અને દેશનો ધર્મ છોડવા યોગ્ય નથી વળી નીતિને જણાવનારની નિંદા કરો કે પ્રશંસા કરો ઈત્યાદિ. પછી રાજા બોલ્યો તે દેવબોધિ! વેદ ધર્મ હિંસાથી કલુષિત (ખરડાયેલો) હોવાથી અને અસર્વજ્ઞ એ કહેલો હોવાથી મારા મનને રુચતો નથી જૈન ધર્મ તો સંપૂર્ણ જીવદયાથી સુંદર હોવાથી ઘણોજ રુચે છે. ત્યારે ફરી દેવબોધિ બોલ્યો. હે રાષ્ન! જો તને વિશ્વાસ ન હોય તો મહાદેવ આદિ દેવોને અને સાક્ષાત્ (પ્રત્યક્ષ) અહીંયા આવેલા તારા પૂર્વજોને તું જાતે જ પૂછી લે એ પ્રમાણે કહીને વિદ્યા શક્તિથી તેઓને બતાવ્યા. અહીંયા મહાદેવ આદિ ત્રણ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) દેવો અને પૂર્વજોની સાથેની વાત (સંવાદ) દેવબોધિના બોલવાથી જાણવી (એટલે કે વિદ્યા શક્તિથી દેવબોધિ જ બોલ્યો છે તેમ સમજવું) મહાસાધુ દેવબોધિ અમારી પ્રતિકૃતિ (નકલરૂપ) છે એને ગુરુરૂપે સ્વીકારવા ઈત્યાદિ કહીને તે બધા અદશ્ય થઈ ગયા. તેથી આશ્ચર્ય પામેલો રાજા મહાદેવે કહેલું અને તેને કહેલું યાદ કરતાં જડ જેવો બની ગયો. પછી મંત્રિના કહેવાથી હેમચંદ્રસૂરિએ તે સ્વરૂપ જાણું અને રાજાને સાંશયિક મિથ્યાત્વની આપત્તિથી ઉગારવાને માટે પ્રભાતના સમયે દિવાલથી સાત ડગલા દૂર રહેલા આસન ઉપર બેઠા પછી દેવબોધિ સરખો કલાવાનું કોઈપણ ગુરુ દેખાતો નથી. ઈત્યાદિ રાજા બોલતો હતો ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજનું! સવારે દેવબોધિ આદિની સમક્ષ ગુરુને પૂછીશું પછી પ્રભાત થતાં દેવબોધિ આદિથી પરિવરેલા રાજાએ ગુરુને નમન કર્યું અને ત્યારબાદ અધ્યાત્મ શક્તિ વડે કરીને પાંચ પ્રકારના પવનને રોકી ને આસનથી ઉંચે (અધ્ધર) રહીને ગુરુએ વ્યાખ્યાન શરૂ કર્યું તેટલામાં પૂર્વે કરાયેલા સંકેતથી શિષ્ય નીચેનું આસન ખેંચી લીધું. ત્યારબાદ આધાર વિના જ અખ્ખલિત વચન ધારાએ દોઢ પહોર સુધી દેશના આપી. દેવબોધિનું તો કેળના પત્તાનું આસન હતું અને મૌન કરીને કાયા અને શ્વાસોશ્વાસ રોકેલા હતાં. પરંતુ વ્યાખ્યાન કરતાં હેમચંદ્રસૂરિજીની સ્થિતિ BORRRRRRRRRRBRBERRRRRRARBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRLANDE Res eesaa88688888868888882 | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 155)| અંશ-ર, તરંગ-૬ | રીતનતtisgrizeggiHitieir Hdestigantisu rudangdusalinjal Bકaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa)
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy