________________
જૈનમત ને માનનારા એવા સર્વ લોકોના વચનમાં તત્વનો અર્થ રહેલો છે. તથા કેટલાકના મનમાં રહેલો છે અને ક્રિયા રૂપે પણ હંમેશા નાચી રહેલો છે. ||રા
વેદ શાસ્ત્રને પરાધીન બુધ્ધિવાળા સૂત્રોને કંઠે કરનારા મનુષ્યો ધર્મરૂપી રત્નના તત્વને અલ્પ પણ જાણતા નથી Iial
ગોમેધ, નરમેધ, અશ્વમેધ, આદિ યજ્ઞ કરનારા એવા જીવહિંસા કરનારાઓને ધર્મ ક્યાંથી હોય ? |૪||
શ્રધ્ધા નહિ કરવા લાયક અસંભૂત અને પરસ્પર વિરોધિ વસ્તુનું નિરૂપણ કરતાં પુરાણ વિધાયકનો ધર્મ કેવો ? //પી.
અસભૂત વ્યવસ્થા વડે બીજાના દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા સ્મૃતિને અનુસરનારા માટી, પાણી આદિ વડે કરી પવિત્રતા ને કરનારા બ્રાહ્મણાદિને ધર્મ ક્યાંથી ? ધર્મ કેમ હોય ? ||૬||
ઋતુકાલ વ્યતિત થયા બાદ ગર્ભ હત્યાને કહેવાવાળા, બ્રહ્મચર્યનો અપલાપ કરનારા બ્રાહ્મણોને બ્રહ્મચર્ય ધર્મ ક્યાંથી હોય ? Hill
નહિ આપવા છતાં યજમાનો પાસેથી સર્વસ્વ લેવાની ઈચ્છાવાળા, અર્થ માટે પ્રાણોને છોડનારા બ્રાહ્મણોનું અકિંચનપણું (નિસ્પૃહતા) ક્યાં ગયું ટી
દિવસે અને રાત્રે મુખને પૂછીને ખાનારા ભક્ષ્ય - અભક્ષ્યના વિવેક વિનાના બૌધ્ધ લોકોને તપ કેવી રીતે હોય ? Iકા
કોમળ શૈયા, સવારે પીવાનું મધ્યાહ્ન ભોજન સાંજે દૂધ આદિ પીવું, મધ્યરાત્રે દ્રાક્ષ ખંડ ખાવા આવો શાક્યના શાસ્ત્રમાં સાધુ ધર્મ છે. |૧૦
સ્વલ્પ અપરાધ થયે છતે વિચાર કર્યા વિના તેજ ક્ષણે શ્રાપ આપનારા લૌકીક ઋષિઓમાં લેશ માત્ર પણ ક્ષમા દેખાતી નથી. (હોતી નથી) I/૧૧/l.
જાતિ આદિ મદ વડે ખરાબ આચારમાં અત્યંત રમનારા ચિત્તવાળા ચારે આશ્રમમાં રમનારા, બ્રાહ્મણોનો નમ્ર ગુણ ક્યાં રહ્યો ? //૧ર/
દિંભ લુચ્ચાઈ જેના ગર્ભમાં રહેલી છે. વળી બહારથી બગલા વૃત્તિ (ઠગ વિદ્યા)વાળા પાખંડ વૃત્તિવાળાને લેશ પણ સરળતા ક્યાંથી હોય ? II૧all
સસસસસસ સસરાક્ષસસસસસસ
saataaHBg
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (89)[ તરંગ - ૧૫ ]
રાક
- ૧૫