________________
जीवदयाप्रकरणम् - अजितान्तरातिविजेतारम्, नत्वा - द्रव्य-भावप्रणामतो नमस्कृत्य, एतावता यदुपज्ञा जीवदया सोऽभिवादितः, साम्प्रतं तदाज्ञानुयायितया जीवदयोपनिषन्निषण्णानामभिवादनमाह - पञ्चमहाव्रतगुरुभारधारकान्, तेषु तद्व्यपदेशस्तदनुपालनस्य शिलोच्चयोबहनोपमत्वात्, तथा चार्षम् - जिट्ठव्वयपव्वयभरसमुब्वहण - इति (उपदेशमालायाम् ६२), तानेव विशेषयति - पञ्चसमितान् - पञ्चभि: समितिभिः सम्पन्नान्, तथा त्रिगुप्तान - गुप्तित्रयेणा
વિના કલ્યાણની ઉત્પત્તિ થતી નથી. એવા જિનને = અનાદિ કાળથી નહીં જીતાયેલા આંતર શત્રુઓને જીતનારાને, નમીને = દ્રવ્ય-ભાવ પ્રણામથી નમસ્કાર કરીને, આટલું કહેવા દ્વારા જેમણે જીવદયાનું પ્રતિપાદન કર્યું છે, તેમને વંદન કર્યા છે. હવે જેઓ જિનાજ્ઞાના અનુયાયી છે, તેથી જેઓ દયા-રહસ્યમાં પ્રતિષ્ઠિત છે, તેમને વંદન કરે છે - પાંચ મહાવ્રતોરૂપી મોટા ભારને ધારણ કરનારા, અહીં ‘પાંચ મહાવ્રતો મોટા ભાર છે” એમ કહ્યું છે. કારણ કે તેમનો નિર્વાહ કરવો એ પહાડ ઉપાડવા બરાબર છે. તેવા પ્રકારનું ઋષિવચન પણ છે - મોટા વ્રત-પર્વતના ભારનો સમ્યક્ નિર્વાહ... (ઉપદેશમાલા ૬૨) .
તેમને જ વિશેષિત કરે છે - પંચસમિત = જેઓ પાંચ સમિતિથી યુક્ત છે. તથા ત્રિગુપ્ત = જેઓ ત્રણ