________________
૧૯૧
વૈરાગ્યભેદાધિકાર લોકોને, સ્વ અને અન્ય શાસ્ત્રોનો વ્યાપાર ન હોય તો પણ પંચમહાવ્રતના પાલનરૂપ ચારિત્ર છે, અને ભગવાનના વચનમાં સમ્યક રુચિ પણ છે, તેથી જ ભગવદ્ વચનાનુસાર જ ચારિત્રમાં યત્ન કરે છે, તેમ છતાં ચારિત્રની ક્રિયાના સારને કેમ પ્રાપ્ત ન કરે ? તેથી કહે છે -
बहिर्निवृत्तिमात्रं स्या-च्चारित्राद्व्यावहारिकात् ।
अन्तः प्रवृत्तिसारं तु, सम्यक्प्रज्ञानमेव हि ।।२१।। અન્વયાર્થ :- વ્યાવહારિવેત્ ચારિત્રાત્ વ્યાવહારિક ચારિત્રથી વર્નિવૃત્તિમાત્ર સ્થાત્િ બહિનિવૃત્તિમાત્ર થાય છે. તુ પરંતુ અન્તઃ પ્રવૃત્તિસર સીવપ્રજ્ઞાનમ્ ા અંતઃપ્રવૃત્તિ છે પ્રધાન જેમાં એવું સમ્યફ પ્રજ્ઞાન જ છે. II-૨૧il
* “ણિ પાદપૂર્તિ માટે છે. શ્લોકાર્ચ -
વ્યાવહારિક ચારિત્રથી બહિનિવૃત્તિ માત્ર થાય છે, પરંતુ અંત પ્રવૃત્તિ છે પ્રધાન જેમાં એવું સમ્યક પ્રજ્ઞાન જ છે. (જે ભાવચારિત્ર સ્વરૂપ છે.)-II-૨૧ ભાવાર્થ -
જે લોકો કલ્યાણના અર્થે બાહ્ય ચારિત્રાચારમાં યત્ન કરે છે તે વ્યાવહારિક ચારિત્ર છે, અને વ્યાવહારિક ચારિત્રથી બાહ્ય રીતે આરંભ-સમારંભથી નિવૃત્તિમાત્ર થાય છે. વળી, સમ્યફ પ્રકૃષ્ટ એવું જ્ઞાન એ અંતઃપ્રવૃત્તિપ્રધાન છે, જે ભાવચારિત્ર છે; અને તે સમ્યફ પ્રજ્ઞાનમાં આત્માને પોતાના ભાવોમાં સ્થિર કરવા માટેના પ્રયત્ન કરવારૂપ પ્રવૃત્તિ પ્રધાન છે. આવું સમ્યક્ પ્રકૃષ્ટ જ્ઞાન સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસથી પ્રાપ્ત થતા યથાર્થ તત્ત્વના બોધથી થતા નિર્લેપભાવ સ્વરૂપ છે. જે લોકો સ્વ-પરદર્શન ભણે છે તેઓને નયસાપેક્ષ યથાર્થ બોધ થવાથી કોઈ દર્શન કે કોઈ નયનો પક્ષપાત હોતો નથી, પરંતુ પક્ષપાતરહિત તે નયોને યથાસ્થાને જોડે છે. આવું સમ્યક્ પ્રકારનું જ્ઞાન જ્યારે આત્માને પોતાના ભાવોમાં સુદઢ યત્ન કરાવે ત્યારે તે પ્રકૃષ્ટ જ્ઞાન બને છે, અને તે સમ્યક્ પ્રકૃષ્ટ જ્ઞાન જગતના સર્વ પદાર્થો પ્રત્યે પરમ મધ્યસ્થ ભાવ પ્રગટાવે તેવી જ અંત:પ્રવૃત્તિમાં સુદઢ યત્ન કરાવે છે. આ પ્રકારની