SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ વૈરાગ્યભેદાધિકાર જોકે દુઃખગર્ભિત વૈરાગ્યવાળો દરેક જીવ આવી જ સ્થિતિવાળો હોય છે એવું નથી. સંસારમાં અન્ય વિશેષ ભૌતિક સામગ્રીઓ હોવા છતાં જે અન્ય ક્લેશો છે, તે ક્લેશ વગરના સુખ માટે પણ વર્તમાનમાં દીક્ષા ગ્રહણ કરીને તપ-સંયમમાં યત્ન કરતા હોય તેવા જીવો પણ હોઈ શકે છે. - અહીં વિશેષ એ છે કે જેને સંસારમાં અન્નમાત્ર દુર્લભ છે તેવા જીવો, તાત્કાલિક ભૌતિક સુખ-અજ્ઞાદિની લાલસાથી જ વૈરાગ્યની ક્રિયા કરે છે; જ્યારે સંસારમાં ભૌતિક સુખો હોવા છતાં હજુ કંઈક ખૂટતું હોવાથી અથવા પરલોકમાં વધુ મેળવવાની ઇચ્છાથી જે જીવો દીક્ષા ગ્રહણ કરે છે, તેઓ ભવિષ્યના ભૌતિક સુખની લાલસામાત્રથી દીક્ષા લે છે. આમ, દુઃખગર્ભિત વૈરાગ્યવાળા આ બંને પ્રકારના જીવો ભૌતિક સુખની ઈચ્છાથી જ દીક્ષા લે છે, પરંતુ તેમાં ભેદ માત્ર એટલો જ છે કે એકને તાત્કાલિક સુખની ઇચ્છા છે જ્યારે અન્યને ભવિષ્યના સુખની ઇચ્છા છે. તથા એકની પાસે કાંઈ જ નથી, જ્યારે અન્યની પાસે કાંઈક થોડું છે, અને થોડું ખૂટે છે તેની પ્રાપ્તિની ઇચ્છા છે. I-ળા અવતરણિકા - હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે - कुशास्त्राभ्याससम्भूतं, भवनैर्गुण्यदर्शनात् । मोहगर्भ तु वैराग्यं, मतं बालतपस्विनाम् ।।८।। અન્વયાર્થ: મવર્નમુદ્િર્શનાત્ ભવના નૈગૃષ્ણના દર્શનથી પતિતપસ્વિનામ્ બાલતપસ્વીઓને શાસ્ત્રાગારભૂત કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ મોહનર્મ તુ વૈરાચં મત મોહગર્ભિત જ વૈરાગ્ય મનાયેલ છે. I૬-૮ શ્લોકાર્ચ - ભવનેગૃષ્ણના દર્શનથી બાલતપસ્વીઓને કુશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ મોહગર્ભિત જ વેરાગ્ય મનાયેલ છે. I-I ભાવાર્થ : સંસારી જીવને કોઈક શાસ્ત્રના પઠનથી કે કોઈક ગુરુના ઉપદેશથી જ્યારે
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy