________________
રૂણોપનિષત્ શ્લોક-૧૨ : પ્રચુર વિપત્તિઓ
३७ स्वमनीषिकयैवोच्यते, किं तहि ? उपनिबन्धनमप्यस्य पारमर्षम् भवे दुक्खरूवे - इति (पञ्चसूत्रे १) । सोऽयं भव एव पदावर्त्तः -पुनः पुनर्भवनशीलानामापदामास्पदम्, तस्मिन्, पदिकेव-अनतिदीर्घपदवीवत्, यावद् एका विपद् अतिवाह्यते - છૂળ સહિત્ની સમાપ્તિ નીયતે, તાવત્પનરચા: - अतिक्रान्तेतराः, प्रचुराः-गणयितुमधिसोढुं चाशक्याः, विपदो भवन्ति, किमेतद्वैशस्यबीजमिति चेत् ? तथाभवस्वभाव एवेति
સમાધાન : એમ કહેવાનું કારણ પરમર્ષિનું વચન પણ છે – સંસાર દુઃખરૂપ છે. (પંચસૂત્ર ૧)
તેવો આ સંસાર જ પદાવર્ત છે – ફરી ફરી થવાના સ્વભાવવાળી આપત્તિઓનું સ્થાન છે. તેમાં પદિકાની જેમ બહુ લાંબા નહીં એવા રસ્તાની જેમ જ્યાં સુધીમાં એક વિપત્તિને પસાર કરાય છે = કષ્ટપૂર્વક સહન કરીને પૂરી કરાય છે, ત્યાં સુધીમાં તો બીજી = જેને પસાર કરી, તે સિવાયની પુષ્કળ = જેને ગણી ન શકાય અને સહી પણ ન શકાય એટલી વિપત્તિઓ આવી પડે છે.
શંકા - આવી ક્રૂરતાનું શું કારણ ?
સમાધાન - તેવા પ્રકારનો સંસારનો સ્વભાવ જ એમ સમજી લો.
શંકા - પણ એના પ્રતિકારનો ઉપાય શું ?