________________
३६
શ્લોક-૧૨ ઃ પ્રચુર વિપત્તિઓ રૂછોવેશ: प्रथमः स नूनम् । अम्भोनिधौ निपतितेन शरीरभाजा, संसृज्यतां મિપર સનિતં વિહીયે ? - રૂતિ | ન વાબ્ધિગોરાधाराधेयभावस्तादात्म्यं चेत्युभयम्, भवदुःखयोस्त्वाधाराधेयभाव एव, न तु तादात्म्यमिति विषम उदाहरणोपन्यास इति वाच्यम्, तस्यापि विद्यमानत्वात्, दुःखरूपत्वाद् भवस्य, न चैतत्
દરિયામાં પડે, એને વળી પાણી સિવાય બીજા શેનો સ્પર્શ થાય ? આશય એ છે કે જેમ દરિયામાં પાણી હોય જ એમ સંસારમાં પણ દુઃખો હોય જ.
શંકા- _દરિયા અને પાણી વચ્ચે આધાર-આધેય ભાવ છે અને તાદાસ્યભાવ પણ છે. અર્થાત્ દરિયામાં પાણી છે એવું પણ છે અને દરિયો જ પાણી છે, એવું પણ છે. જ્યારે સંસાર અને દુઃખમાં તો આધાર-આધેય ભાવ જ છે. અર્થાત સંસારમાં દુઃખ છે, એવું છે, પણ સંસાર જ દુઃખ છે એવું નથી. માટે તમે આપેલું ઉદાહરણ બરાબર સંગત થતું નથી.
સમાધાન - આવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે સંસાર અને દુઃખ વચ્ચે તાદાત્મ ભાવ પણ છે જ. કારણ કે સંસાર એ દુઃખરૂપ છે. આ વાત કાંઈ પોતાની બુદ્ધિથી જ નથી કહેવાતી.
શંકા - તો પછી શેના આધારે કહો છો ?