________________
જ સાદર સમર્પણ છે
અસીમ ઉપકારી વાત્સલ્ય વારિધિ પ.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. કે જેઓશ્રીનો સંયમ સુવર્ણ મહોત્સવ તાજેતરમાં વિઢયારની વિરલ વસુંધરા શ્રી શંખેશ્વર મહાતીર્થે પરમપુરૂષાદાનીય શ્રી શંખેશ્વરદાદાની પરમપાવન છત્રછાયામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદ ભકિતવિહારના પ્રાંગણમાં. ભારતભરના સમ્યગુજ્ઞાનદાતા પંડિતવર્યો ના ત્રિદિવસીય સંમેલન, ૫૧ છોડના ઉદ્યાપન, જીવદયા, સાધમિર્ક ભક્તિ, સાધુ - સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ વિ. અનેકવિધ મહાઅનુષ્ઠાનો તેમજ આઠ મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ સહ એકાદશાબ્દિકા મહોત્સવ ખૂબ જ આનંદોલ્લાસમય વાતાવરણ માં, શતાધિક સાધુ સાધ્વીજી ભગવંતો અને વિશાળ જનમેદની ની ઉપસ્થિતિમાં ઐતિહાસિક, જાજરમાન અને ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયેલ છે. મહાસુદ-૩ વિ.સં. ૨૦પ૬ને તા. ૯-૨-૨૦૦૦ના પરમ મંગલદિને પૂજ્યશ્રીએ સંયમપર્યાયના પ૧ માં વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. ત્યારે
આ અણમોલ પ્રસંગે દીર્ધસંયમી જ્યોતિવિદ્ પ.પૂ. આચાર્ય ભગવંતશ્રીના કરકમળમાં આ પુસ્તક આદરભાવે અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ.
લી. પ્રવર્તિની સા. હેમલતાશ્રીજી આદિ પરિવાર